ગુજરાતમાં પેટાચૂંટણીની જાહેરાત અંગે ઇસુદાન ગઢવીની પ્રતિક્રિયા

Featured Video Play Icon
Spread the love

ગુજરાતમાં પેટાચૂંટણીની જાહેરાત અંગે ઇસુદાન ગઢવીની પ્રતિક્રિયા
વીસાવદર બેઠક પર ઉમેદવર ગોપાલ ઇટાલિયાનો વિજય થશે
કડી વિધાનસભા પેટા ચૂંટણીની બેઠક પર આમ આદમી પાર્ટી ઉમેદવાર ઉતારશે

ગુજરાતમાં વિધાનસભાની કડી અને વિસાવદરની ખાલી પડેલી બેઠક માટે 19 જૂને ચૂંટણી યોજાશે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 2 જૂન છે. 23 જૂને ચૂંટણીનું પરિણામ આવશે. પેટાચૂંટણીની જાહેરાત અંગે આપ પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે

ગુજરાતમાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા વિસાવદરની વિધાનસભાની બેઠક ખાલી પડી હતી, ભૂપત ભાયાણી AAPમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયા હતા. તો કરશન સોલંકીના નિધનથી કડી વિધાનસભા બેઠક ખાલી પડી હતી. વિસાવદર બેઠક પર AAP એ ગોપાલ ઈટાલિયાને મેદાન ઉતાર્યાં છે. હવે કડીમાં ઉમેદવાર ઉતારવા કે નહી તેને લઈને આજે AAPની બેઠક યોજાશે. AAP નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, કડીમાં ઉમેદવાર ઉતારવા કે નહી તેને લઈ બેઠક કરીશું અને હી તેને લઈ 2 દિવસમાં નિર્ણય લઈશું.

ઉલ્લેખનિય છે કે, હર્ષદ રિબડિયાએ અરજી કરતા વિસાવદરની પેટાચૂંટણી અટવાઈ હતી. વિસાવદરમાં ત્રિપાંખિયો જંગ નક્કી છે. વિસાવદરમાં AAP – કોંગ્રેસ -ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. કોંગ્રેસ અને AAPએ ગઠબંધન નહી કરવાની જાહેરાત કરી છે.આ બધાની વચ્ચે હર્ષદભાઈ રિબડિયાએ મોટું નિવેદન આપ્યુ છે, તેમણે જણાવ્યું કે, પાર્ટી મને ટિકિટ આપે તો મારી સંપૂર્ણ તૈયારી છે અને તેમણે આ બેઠક પર ભાજપની જીતનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *