સુરતમાં ભારત પાકિસ્તાનના યુધ્ધને લઈ હિન્દુ સંઘઠન સામે આવ્યું

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ભારત પાકિસ્તાનના યુધ્ધને લઈ હિન્દુ સંઘઠન સામે આવ્યું
સુશીલા ટ્રસ્ટ ના યુવાનો સુરત કલેક્ટર કચેરી પહોચ્યા
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ
સ્વયંમ સેવક બની સેવા બજાવવાની પરવાનગી માંગી

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. અને બોર્ડર પર તણાવની સ્થિતિ ઉભી થઈ છે ત્યારે હિંદુ સંગઠનના લોકો કલેકટરાલયે પહોંચ્યા હતા અને યુદ્ધ થાય તો તમામ સ્વયંમ સેવકો સેવા આપવા જવા તૈયાર હોવાનુ જણાવી પરવાનગી માંગી હતી.

જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકીઓ દ્વારા પ્રવાસીઓ પર કરેલા હુમલાને લઈ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. અને ભારત પાકિસ્તાનની બોર્ડર પર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ભારત પાકિસ્તાનના યુધ્ધને લઈ હિન્દુ સંઘઠન સામે આવ્યું છે. સુશીલા ટ્રસ્ટ ના યુવાનો સુરત કલેક્ટર કચેરી પહોચ્યા હતાં. ભારત પાક વચ્ચે યુદ્ધ થાય તો સેવા આપવા તૈયાર છે. સ્વયંમ સેવક બની સેવા બજાવવાની પરવાનગી માંગી હતાં. 200 જેટલા સ્વયંમ સેવકોની આ યુધ્ધ દરમીયાન દેશમાં કોઈ પણ જગ્યા એ સેવા આપવા તૈયાર હોવાનુ પણ જણાવ્યુ હતું. અને સુરત જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી પરવાનગી માંગી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *