સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પાડેસરામાં આગ
ડેસરામાં ડીજીવીસીએલના ટ્રાન્સફોર્મર કેબલમાં આગ લાગતા અફરા તફરી
કેબલથી જોખમ હોય મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ ?
સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પાડેસરામાં ડીજીવીસીએલના ટ્રાન્સફોર્મર કેબલમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
સુરતના પાંડેસરા વિસ્તારમાં મિલન પોઈન્ટ પાસે ડીજીવીસીએલના ટ્રાન્સફોર્મર કેબલમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. તો બનાવને લઈ ફાયરને જાણ કરાતા તાત્કાલિક ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. તો રાત્રીના સમયે ઘટના બનતા જાનહાની ટળી હતી. પરંતુ ખુલ્લા ટ્રાન્સફોર્મર અને કેબલથી જોખમ હોય કોઈ દિવસ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તેવા સવાલો સ્થાનિકો કરી રહ્યા છે.
