મહારાણા પ્રતાપ ચોકના રહીશો દૂષિત પાણીથી ત્રાહિમામ

Featured Video Play Icon
Spread the love

મહારાણા પ્રતાપ ચોકના રહીશો દૂષિત પાણીથી ત્રાહિમામ
ગંદા પાણીના સપ્લાયથી એક સોસાયટીના લોકો બીમાર
યુવકના મોતથી આરોગ્ય વિભાગ થયું દોડતું
સ્થાનિકનો દાવો-20-25 લોકો આઈસીયુમાં

સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ ચોક પાસે આવેલી ગલી નંબર-3માં બે દિવસ અગાઉ દૂષિત પાણીના કારણે એક યુવાનનું મોત થયું છે તો 10-12 લોકો આઈસીયુમાં દાખલ હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. તંત્રની નિષ્ક્રિય કામગીરીથી સ્થાનિકો રોષે ભરાયા છે તો બીજી તરફ તંત્રનો દાવો છે કે, અમે સેમ્પલ લીધા તે બધા ફીટ હતા.

મહારાણા પ્રતાપ ચોક પાસે આવેલી ગલી નંબર-3માં રહેતા જયેશ શિરસાગર નામના યુવકની તબિયત લથડી હતી. રાત્રિના સમયે યુવકની તબિયત લથડતા તેને 10થી 12 વખત ઝાડા-ઉલ્ટી થયા હતા. તેમની માતા સાથે તેઓ રહેતા હતા. સવારે હોસ્પિટલમાં લઈ ગયા તો ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. દૂષિત પાણી પીવાના કારણે તેમનું મોત થયું છે. ઘણા બધા લોકોની દૂષિત પાણીના કારણે ડાયરીયા થવા હોવાનું બહાર આવ્યું છે.મૃતકના પરિવારજન રીન્કુ સાવલે જણાવ્યું કે, મારા ભત્રીજાની તબિયત મોડી રાતે ખૂબ જ બગડી હતી. તેને 10થી 12 વખત ઝાડા-ઉલ્ટી થયા હતા રાત્રિના સમય દરમિયાન સવારે અમારા ઘરે ફોન આવ્યો હતો કે, તેની તબિયત વધુ ખરાબ થઈ છે તેને હોસ્પિટલે લઈને જવો પડશે ત્યારે અમને જાણવા મળ્યું અને અમે ઘરે પહોંચીને એને હોસ્પિટલ લઈ ગયા પરંતુ, અમેઘરે હતા ત્યારે જ એવું ધ્યાને આવ્યું હતું કે, તેનું મોત થઈ ગયું છે છતાં પણ અમે નજીકની હોસ્પિટલમાં લઈ જઈને તપાસ કરવાતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. ગંદા દૂષિત પાણીના કારણે લોકોના મોત થઈ રહ્યા છે છતાં પણ તંત્ર તેને ગંભીરતાથી લઈ રહી નથી.આરોગ્ય વિભાગના અધિકારી નિમેષ દેસાઈએ જણાવ્યું કે અમે 20 જેટલા સેમ્પલ લીધા હતા તેમાંથી 15 કરતાં વધારે જે સેમ્પલ છે તેમાં કોઈ ખરાબી જણાઈ નથી બીજા પાંચ જેટલા સેમ્પલનો રિપોર્ટ આવ્યો નથી. હાઇડ્રોલિક વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. પાણીના સેમ્પલમાં અત્યાર સુધી કોઈ ખામી જણાય નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *