સુરતમાં ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપનો વિરોધ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપનો વિરોધ
બ્રહ્મ સમાજ પર અભદ્ર ટિપ્પણી કરતા વિરોધ કરાયો
ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપની મુશ્કેલીમાં વધારો
અનુરાગ કશ્યપ વિરુદ્ધ બ્રાહ્મણ સમાજ આકરા પાણીએ,

ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. કારણ કે વિવાદિત પોસ્ટના કારણે તેમની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા માટે સુરત બ્રાહ્મણ સમાજ દ્વારા કલેકટરને પણ આવેદન આપવામાં આવ્યું છે.

ફિલ્મ જગતના જાણીતા દિગ્દર્શક, ફિલ્મ નિર્માતા, લેખક અને અભિનેતા અનુરાગ કશ્યપ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. હાલમાં જ અનુરાગ કશ્યપે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બ્રાહ્મણ સમાજ પર વિવાદિત ટિપ્પણી કરી હતી.નુરાગ કશ્યપની ધડકન-2 નામની મૂવી રિલીઝ થવામાં વિલંબ થતો હોઈ શકે છે, જેથી ખોટી વાતો, વિવાદિત નિવેદન તથા ચર્ચા મેળવવા માટે તે સોશિયલ મીડિયાના માધ્યમોનો ઉપયોગ કરી રહ્યો છે. તેમણે પોતાની Instagram પોસ્ટ દ્વારા બ્રાહ્મણ સમાજને નિશાન બનાવી અને એમને અશ્લીલ ભાષાઓથી અપમાનિત કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે સુરત બ્રાહ્મણ સમાજ દ્વારા સુરત કલેકટર કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. ફિલ્મ દિગ્દર્શક અનુરાગ કશ્યપ દ્વારા બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ કરવામાં આવેલી અભદ્ર વાંધાજનક ટિપ્પણીઓ સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેને લઈને સુરત બ્રાહ્મણ સમાજ દ્વારા સુરત કલેકટર કચેરી ખાતે કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *