સુરતમાં આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી.
ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું
પૂજા વિધિ બાદ ભગવાનના રથનું દોરડું ખેંચવા મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા
સુરતમાં આજે ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નીકળી હતી ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત ભગવાન જગન્નાથજી ની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું બપોરે 2:30 કલાકે સુરતના રેલ્વે સ્ટેશનથી રથયાત્રાનો પ્રારંભ થયો હતો જેમાં પૂજા વિધિ બાદ ભગવાનના રથનું દોરડું ખેંચવા મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા.
જય જગન્નાથ ના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયો હતો સુરતના સ્ટેશન રોડથી ટેક્સટાઇલ માર્કેટ રીંગરોડ અને મજૂરા ગેટ થઈ ઇસકોન મંદિર સુધી આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી સાંસદ પૂનેશ ભાઈ મોદી સહિતના મહાનુભાવો એ ભગવાનની વિધિ કરી હતી અને ભગવાનના રથ પહેલા રત્તાઓ સાફ કર્યા હતા. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગર ચરીયાએ આજની કર્યા છે ત્યારે ભગવાનના એક દર્શન કરવા માટે ભક્તો આતુર જોવા મળ્યા હતા ભગવાન જગન્નાથજી ની રથયાત્રાને લઇ સુરત શહેર પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે રથયાત્રા જે રૂટ પરથી પસાર થવાની છે ત્યાં પૂરતો બંદોબસ્ત સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે જેથી કરી રથયાત્રામાં કોઈ અડચણ ઊભી ન થાય આ વખતે ઇસ્કોન મંદિર દ્વારા યોજાયેલી રથયાત્રામાં ભગવાનની 21 લીલાઓના ટેબલો તૈયાર કરવામાં આવ્યા છે જેમાં ભગવાનની વિવિધ ઝાંખીઓ પ્રસ્તુત કરવામાં આવી છે આ ઉપરાંત મોટી બેન્ડ પાર્ટી ઘોડા અને સ્વામી ઉપાદરની બગીમાં સવારે નો સમાવેશ કરવામાં આવ્યો છે અને ભક્તોને બુંદી અને હલવાના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે