સુરતના સહારા દરવાજા પાસે મોબાઈલ ચોરનાર બે રીઢાઓઓ ઝડપાયા
રાહદારીઓ સાથે વાતો કરી તેઓની નજર ચુકવી મોબાઈલ ચોરી
રીઢાઓ મુકેશ પ્રેમનાથ ઉપાધ્યાય અને સુમીત શીંદેને ઝડપી પાડ્યા
સુરતના સહારા દરવાજા પાસેથી પસાર થતા રાહદારીઓ સાથે વાતો કરી તેઓની નજર ચુકવી મોબાઈલ ચોરનાર બે રીઢાઓને મહિધરપુરા પોલીસે ઝડપી પાડ્યા હતાં.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત તથા અધિક પોલીસ કમિશનર મિણા, નાયબ પોલીસ કમિશનર જૈન અને મદદનીશ પોલીસ કમિશનર આહિરની સુચનાને લઈ પીઆઈ ડીયુ બારડની ટીમ પીએસઆઈ આસનાનીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો ધર્મેશભાઈ, ચિરનકુમાર અને અપોકો શામળભાઈને મળેલી બાતમીના આધારે સહારા દરવાજા પાસે રાહદારીઓને વાતોમાં ભોળવી તેઓની નજર ચુકવી મોબાઈલ ચોરનાર રીઢાઓ મુકેશ પ્રેમનાથ ઉપાધ્યાય અને સુમીત શીંદેને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલ મોબાઈલ કબ્જે લઈ તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
