બિલાસપુર હાઈકોર્ટે 58 ટકા અનામતને ખોટી ગણાવીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું આરક્ષણને 50 થી વધારીને 58 ટકા કરવાનું ગેરબંધારણીય છે. કોર્ટે વસ્તીના હિસાબે અનામત આપવાને પણ ખોટું ગણાવ્યું હતું હવે સુપ્રીમ કોર્ટે આ નિર્ણય બદલ્યો છે.
છત્તીસગઢમાં અનામતને લઈને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે 58 ટકા અનામત પરનો પ્રતિબંધ હટાવી દીધો છે. આ સાથે અનામતના આધારે ભરતી અને પ્રમોશન માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. હવે રાજ્યમાં સરકારી નોકરીઓમાં ભરતી, પ્રમોશન અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટેનો માર્ગ મોકળો થઈ ગયો છે. અગાઉ બિલાસપુર હાઈકોર્ટે 58 ટકા અનામતને ગેરબંધારણીય ગણાવીને ફગાવી દીધી હતી.
હકીકતમાં, છત્તીસગઢ સરકારે 2012 માં 58 ટકા અનામતને લઈને એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જેમાં રાજ્યની વસ્તી પ્રમાણે સરકારે અનામતનું રોસ્ટર બહાર પાડ્યું હતું. આ અંતર્ગત અનુસૂચિત જનજાતિ માટે 20 ને બદલે 32 ટકા – અનુસૂચિત જાતિ માટે 16 ને બદલે 12 ટકા અને ઓબીસી માટે 14 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી હતી. જેના કારણે અનામતનો વ્યાપ બંધારણ દ્વારા નિર્ધારિત 50 ટકાથી વધુ થઈ ગયો હતો.
હાઈકોર્ટે 58 ટકા અનામતને ફગાવી દીધા બાદ રાજ્યમાં અનામત સંપૂર્ણપણે નાબૂદ થઈ ગઈ હતી. તમામ ભરતી અને પ્રમોશન પર રોક લગાવવામાં આવી હતી. જેના કારણે પીએસસી સહિત અનેક ભરતીઓના અંતિમ પરિણામ અટકાવી દેવામાં આવ્યા હતા. અનામતના અભાવે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ બાબતે પણ મૂંઝવણનો માહોલ સર્જાયો હતો. રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના નિર્ણય ઉપર ખુશી વ્યક્ત કરી છે.
58% आरक्षण पर हाईकोर्ट के फैसले पर सर्वोच्च न्यायालय द्वारा रोक लगाने के निर्णय का हम सब स्वागत करते हैं.
पर छत्तीसगढ़ के युवाओं के खिलाफ भाजपा के षड्यंत्र के विरूद्ध हमारा संघर्ष जारी रहेगा.
राज्यपाल नए विधेयक पर हस्ताक्षर करें तभी सही न्याय मिलेगा.
लड़ेंगे-जीतेंगे
— Bhupesh Baghel (@bhupeshbaghel) May 1, 2023
મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું કે અમે 58% અનામત ઉપર હાઈકોર્ટના નિર્ણય ઉપર સ્ટે આપવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ, પરંતુ છત્તીસગઢના યુવાનો વિરુદ્ધ બીજેપીના ષડયંત્ર સામે અમારો સંઘર્ષ ચાલુ રહેશે. નવા બિલ ઉપર રાજ્યપાલ હસ્તાક્ષર કરશે તો જ યોગ્ય ન્યાય મળશે. લડીશું અને જીતીશું