દાહોદમાં મનરેગા કૌભાંડ
દેવગઢ બારીઆ-ધાનપુરમાં 71 કરોડનું કૌભાંડ,
બનાવટી દસ્તાવેજો દ્વારા સરકારી નાણાંની ઉચાપત,
DRDA નિયામકે પોલીસ ફરિયાદ નોંધાવી
દાહોદ જિલ્લામાં ભ્રષ્ટાચારનો કાળો કેર વધુ એકવાર બેફામ બન્યો છે. દેવગઢ બારીઆ અને ધાનપુર તાલુકામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ થયેલા કામોમાં ભયંકર ગેરરીતિ અને કૌભાંડનો પર્દાફાશ થતાં જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.
હાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ થયેલા કામોમાં થયેલા કૌભાંડ મામલે ખુદ દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બળવંતભાઈ મેરજીભાઈ પટેલે દાહોદ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન થયા છે. આ ઘટનાએ દેવગઢ બારીઆના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પંચાયત તથા કૃષિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના વિસ્તારમાં ભારે હોબાળો મચાવ્યો છે. ફરિયાદ નોંધાતાં જ આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા એજન્સીઓના માલિકો અને મનરેગા યોજનાના કેટલાક કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા જેમાંથી એકાઉન્ટન્ટ સહિત ચારની ધરપકડ કરાય છે, દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના કુવા અને રેઢાણા ગામો તેમજ ધાનપુર તાલુકાના સીમામોઈ ગામમાં 1 જાન્યુઆરી 2021 થી 31 ડિસેમ્બર 2024 દરમિયાન મનરેગા યોજના હેઠળ થયેલા સામૂહિક કામોની તપાસમાં ગંભીર ગેરરીતિઓ બહાર આવી છે. આ કામોમાં રસ્તાઓ, ચેકડેમ, સીસી રોડ અને અન્ય જનકલ્યાણના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. કેસની વિગત વાર માહિતી ડીવાયએસપી જગદીશ ભંડારીએ આપી છે
સ્થળ પરની તપાસમાં મોટા ભાગનાં કામો અધૂરાં હોવાનું જણાયું, છતાં ખોટા પૂર્ણતા પ્રમાણપત્રો (કમ્પ્લીશન સર્ટિફિકેટ) અને બનાવટી દસ્તાવેજો રજૂ કરીને એજન્સીઓને સંપૂર્ણ ચૂકવણી કરી દેવામાં આવી છે , મનરેગા યોજના હેઠળ માલસામાન સપ્લાય માટે ટેન્ડર પ્રક્રિયામાં ભાગ ન લેનારી અથવા L1 (સૌથી ઓછી બોલી ધરાવનાર) ન હોવા છતાં બિનઅધિકૃત એજન્સીઓને કરોડો રૂપિયાની ચૂકવણી કરવામાં આવી. આ એજન્સીઓએ કાયદેસર રીતે સપ્લાયની હકદાર ન હોવા છતાં સરકારી નાણાં હડપ કર્યાં છે તેમજ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને કરાર આધારિત કર્મચારીઓએ એજન્સીઓ સાથે મિલીભગત કરી, પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચીને સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડ્યું. આ માટે બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને તેનો ખોટા ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી