અમદાવાદના ઋષિભટ્ટના કેમેરામાં કેદ થઈ પહલગામ આતંકવાદી હુમલાની ઘટના

Featured Video Play Icon
Spread the love

અમદાવાદના ઋષિભટ્ટના કેમેરામાં કેદ થઈ પહલગામ આતંકવાદી હુમલાની ઘટના
Zipline ride દરમિયાન આતંકી હુમલો Camera માં થયો કેદ
પર્યટકો પડી જતા હોય તેવા પણ દ્રશ્ય વીડિયોમાં કેદ

જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલાની ઘટનાને આજે એક સપ્તાહનો સમય થયો છે. ગત સપ્તાહે 22 એપ્રિલ મંગળવારના રોજ બપોરે પહેલગામની બૈસરન ઘાટીમાં પ્રવાસીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. પહેલગામ આતંકવાદી હુમલાની ઘટના એક પ્રવાસીના કેમેરામાં કેદ થઈ છે. આ પ્રવાસી ગુજરાતના અમદાવાદના હોવાનો સામે આવ્યું છે. NIA દ્વારા આ ગુજરાતી પ્રવાસીની પૂછપરછ કરવામાં આવી. જેમાં તેમણે ઘટનાને લઈને પોતે જે નજરે જોઈ તે તમામ હકીકત જણાવી.

પહલગામ આતંકવાદી હુમલાના પ્રત્યક્ષદર્શી સાક્ષી ગુજરાતી પ્રવાસી ઋષિ ભટ્ટ કે જેઓ બૈસરન ઘાટીમાં આકાશમાં ઝિપલાઈનિંગ કરતા હતા અને નીચે જમીન પર નર સંહાર થઈ રહ્યો હતો. ઋષિ ભટ્ટ અમદાવાદના રહેવાસી છે. આતંકી હુમલાના પ્રત્યક્ષદર્શી ઋષિ ભટ્ટે સમગ્ર ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે આ ઘટના સમયે અમે ત્યાં જ હતા. હું મારા પરિવાર સાથે પહલગામ ફરવા ગયો હતો. મોટાભાગના પ્રવાસીઓ બૈસરન ઘાટીમાં ઝીપ લાઈન કરતા હોય છે તેમ હું પણ ત્યાં ઘાટીનો આનંદ માણવા માગતો હતો. એટલે બૈસરન ઘાટીમાં ઝીપ લાઈનનો અનુભવ હંમેશા યાદ રહે માટે મેં તેનો વીડિયો પણ ઉતાર્યો હતો. પરંતુ ઝીપ લાઈનનો આ અનુભવ આખા જીવન માટે ઘણો દુઃખ દાયક બની રહ્યો. ઝિપ લાઇન સફરની શરૂઆત કરી તેના થોડા જ સમયમાં નીચે બૈસરન ઘાટીમાં લોકોની નાસભાગ જોઈ. હું વધુ ઉપર હોવાના કારણે આ દ્રશ્ય સમજી શક્યો નહીં પરંતુ જેમ-જેમ હું નીચે ગયો ત્યારે ગોળીઓનો અવાજ આવવા લાગ્યો. મે બે -ત્રણ જેટલા લોકોને ત્યાં ઉભેલા પ્રવાસીઓ પર ગોળીબાર કરતા જોયા. ત્યારે અંદાજ આવ્યો કે અંહી આતંકી હુમલો થયો છે. બે જેટલા આતંકવાદીઓએ 5-6 લોકોને ગોળી મારી હતી.

ઋષિ ભટ્ટના કહેવા મુજબ, હું સાત મિનિટ માટે જ બચી ગયો. કારણે કે હું ઝિપ લાઈન પર હોવાથી અમે ઉપર હતો. જો હું ઝિપ લાઈન પૂર્ણ કરી નીચે પંહોચ્યો હોત તો હું પણ આતંકવાદીની ગોળીઓનો શિકાર થયો હોત. વધુમાં તેમણે કહ્યું કે બૈસરન ઘાટીમાં લગભગ બે જેટલા લોકો પ્રવાસીઓ ગોળીબાર કરી રહ્યા હતા. જયારે અન્ય કેટલાક આતંકવાદીઓ ઝાડીઓમાં પણ છુપાયેલા હતા. તેમણે કહ્યું કે આ હુમલામાં 5 થી 6 આતંકવાદીઓ સામેલ હોવાનો અંદાજ છે. પહલગામ હુમલા પછી સુરક્ષા દળોની હાજરીને લઈને પ્રશ્નો ઉઠયા હતા કે આ સમયે સુરક્ષા દળો ક્યાં હતા? આ અંગે ઋષિએ જણાવ્યું કે હુમલા દરમિયાન સેના ત્યાં હાજર ન હોવા છતાં, પોલીસકર્મીઓ ત્યાં હતા. તેમણે એમ પણ કહ્યું કે હુમલાના 20 મિનિટ પછી, સેનાએ બધા પ્રવાસીઓને સુરક્ષિત કરી લીધા હતા. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *