દાહોદ તાલુકા કલામાકુમ પ્રતિયોગિતા સંપૂર્ણ થઈ
ગુરુકુળ વિદ્યાલય છાપરી ખાતે કલા મહાકુંભનું આયોજન
તાલુકામાં વિજય થયેલ વિદ્યાર્થીઓ જિલ્લા સ્તરે મોકલવામાં આવશે
દાહોદ તાલુકા કલા મહાકુંભ હરીફાઈ ગુરુકુળ વિદ્યાલય છાપરી ખાતે રાખવામાં આવી હતી
મળતી માહિતી અનુસાર દાહોદ તાલુકા કલા મહાકુંભ હરીફાઈ ગુરુકુળ વિદ્યાલય છાપરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રતિયોગીતામાં 6 થી 14 અને 15 થી 20 સાથે ઓપન કેટેગરી પણ રાખવામાં આવી હતી જ્યાં અલગ અલગ કૃતિઓને લઈ કલાકારોએ ભાગ લીધો હતો તેમજ સમગ્ર તાલુકાઓની શાળામાંથી કોઈને કોઈ કૃતિઓમાં શાળાએ ભાગ લીધેલ હતો, તાલુકામાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી જિલ્લા લેવલે આવનાર પ્રતિયોગીતામાં ભાગ લેવા માટે સલાહ સુચન આપી અભિનંદન પાઠવવામાં આવ્યું હતું, તાલુકામાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓ આ પછી જિલ્લા લેવલે જશે અને ત્યાં વિજેતા થયા પછી ઝોન લેવલે અને એના પછી રાજ્યસ્તરે ભાગ લેવા માટે સલાહ-સૂચન કરવામાં આવ્યું હતું, તંત્ર દ્વારા સૌ વિજેતાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
