રાજકોટ ગોંડલમાં ઘમાસાણ મુદ્દે પાટીદાર અગ્રણીનું નિવેદન.

Featured Video Play Icon
Spread the love

રાજકોટ ગોંડલમાં ઘમાસાણ મુદ્દે પાટીદાર અગ્રણીનું નિવેદન.
ગોંડલની લડાઈ આંતરિક લડાઈ છે
એક પરિવારનું જે વર્ચસ્વ છે તે તોડવાની લડાઈ છે

રાજકોટના ગોંડલમાં રવિવારે ગણેશ ગોંડલ અને અલ્પેશ કથિરિયાના સમર્થકો વચ્ચે ભારે ઘમાસાણ સર્જાયુ હતું. જે બાદ આજે ગોંડલની ઘટનાને લઈ પાટીદાર અગ્રણી પરસોતમ પીપળીયાએ નિવેદન આપ્યુ છે. જેમાં તેમણે ગોંડલની ઘટનાને આંતરિક લડાઈ ગણાવતા કહ્યુ કે ગોડલમાં એક જ પરિવારનું વર્ચસ્વ છે તે વર્ચસ્વ તોડવાની આ લડાઈ છે.

રાજકોટના ગોંડલમાં ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા વચ્ચેના શાબ્દિક યુધ્ધ બાદ રવિવારે સામાજિક અને રાજકીય ઘમસાણ શરૂ થઈ ગયું છે. ગોંડલની ઘટનાને લઈ પાટીદાર અગ્રણી પરસોતમ પીપળીયાએ નિવેદન આપતા કહ્યું હતું કે વર્ચસ્વની લડાઈ ભાજપુતો અને પાટીદારો વચ્ચે છે. સમાજ સાથે આ લડાઈને જોડવી વ્યાજબી નથી. વધુમાં તેમણે ગોંડલમાં બનેલી ઘટનાને લઈ કહ્યુ કે લોકશાહીમાં વિરોધ આવકાર્ય છે પરંતુ બન્ને પક્ષો હિંસક બને તે યોગ્ય ન કહેવાય.પોલીસ ગોંડલમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે.

ગોંડલમાં આશાપુરા ચોકડી પાસે લોકોનાં ટોળાએ અલ્પેશ કથિરિયાના કાફલામાં સામેલ ચાર-પાંચ કારનાં કાચ ફોડી નાખી હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે પથ્થરબાજી પણ થઇ હતી. આ મામલે બંને પક્ષોએ સામસામે આક્ષેપ કર્યા છે અને બી ડિવિઝનમાં પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાવી છે. ગણેશના સમર્થકોને કારથી કચડવાનો પ્રયાસ અને રાયોટીંગ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. તો બીજી તરફ કથિરિયાના સમર્થનમાં આવેલી ચાર-પાંચ કારમાં તોડફોડની ફરિયાદ પણ નોંધવામાં આવી છે. બ્રેજા કાર ચાલક વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે, તેણે યુવકો પર કાર ચડાવવાનો પ્રયત્ન કર્યો હોવાનો આક્ષેપ છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *