રાજકોટમાં જાહેરમાં નોનવેજ વેચાય પણ જાહેરાત નહીં થાય

Featured Video Play Icon
Spread the love

રાજકોટમાં જાહેરમાં નોનવેજ વેચાય પણ જાહેરાત નહીં થાય
બસ સ્ટોપ પર નોનવેજ ફૂડના લાગેલા ક્રિઓસ્ક દૂર કરાયા,
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહ્યું રંગીલા રાજકોટમાં આવી જાહેરાત નહીં ચલાવી લેવાય

રાજકોટ શહેરમાં હવે જાહેરમાં નોનવેજની જાહેરાત નહીં થાય. શહેરના જિલ્લા પંચાયત ચોકમાં મનપાના બસ સ્ટોપ પર નોનવેજ ફૂડની જાહેરાત થતી હોવાનું ધ્યાન પર આવતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે દૂર કરાવી હતી.

રાજકોટમાં જાહેરમાં નોનવેજ વેચાય પણ જાહેરાતને લઇ બસ સ્ટોપ પર નોનવેજ ફૂડના લાગેલા ક્રિઓસ્ક દૂર કરાયા છે જેને લઇ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કહ્યું હતું કે, તમામ એડ એજન્સીઓને આ પ્રકારની જાહેરાત નહીં કરવા માટે સૂચન આપવામાં આવી છે. જો કોઈ એડ એજન્સી તેનો ભંગ કરશે તો તેની સામે કડક પગલાં લેવાશે. નોંધનીય છે કે, રાજકોટમાં મનપા એક તરફ શહેરમાં જાહેરાતના બોર્ડ દૂર કરવાનો આદેશ કરી રહી છે તો બીજી તરફ શહેરના અનેક વિસ્તારમાં જાહેરમાં જ નોનવેજનું વેચાણ ચાલી રહ્યું છે, સ્ટેન્ડિંગ ચેરમેને આદેશ આપતા અડધો કલાકમાં જ જાહેરાતો દૂર કરી દેવામાં આવી હતી. આ સાથે તમામ એડ એજન્સીને આ પ્રકારની કોઈપણ જાહેરાતો નહીં કરવા આદેશો પણ આપવામાં આવ્યા છે. જો કોઈ એજન્સી આ નિયમનો ભંગ કરે તો તેની સામે કડક પગલાં લેવાની ચેતવણી પણ સ્ટેન્ડિંગ ચેરમેને આપી છે.

રાજકોટના જિલ્લા પંચાયત ચોકમાં સ્માર્ટ બસ સ્ટોપ પર નોનવેજ ફૂડ વેચાણની જાહેરાત કરવામાં આવી હતી.આ જાહેરાતમાં લખ્યું હતું, દિલ્હી કા બટર ચિકન, કાશ્મીર કી વાઝવાન બિરયાની’. અહીંથી પસાર થઈ રહેલા રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટના ચેરમેનનું તેના પર ધ્યાન પડતા તાત્કાલિક આ જાહેરાત હટાવવા સિટી એન્જીનીયરને આદેશો આપ્યા હતા. રાજકોટ શહેરમાં આવી કોઈ જાહેરાતો મનપા દ્વારા કરવામાં આવતી નથી. જેને લઈ તમામ એડ એજન્સીને પણ અન્ય કોઈ સ્થળે જો આવી જાહેરાત હોય તો તેને હટાવી લેવા અને ફરી આવી કોઈ જાહેરાતો નહીં લેવા તાકીદ કરવામાં આવી છે. ત્યારે રંગીલા રાજકોટની વાત કરીએ તો, તંત્રએ જાહેરમાં લાગેલા નોનવેજ ફૂડના બોર્ડ દૂર કરાવ્યા છે પરંતુ, શહેરના અનેક વિસ્તારોમાં જાહેરમાં જ નોનવેજ ફૂડનું વેચાણ થતું હોવાનું પણ સામે આવ્યું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *