આજે ગુજરાતનો 65મો સ્થાપના દિવસ
પીએમ મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને ભુપેન્દ્ર પટેલે શુભેચ્છા પાઠવી
વિપક્ષ નેતા શક્તિસિંહે ગોહિલે પણ શુભેચ્છા પાઠવી
આજે ગુજરાતનો 65મો સ્થાપના દિવસ છે. ગુજરાત સ્થાપના દિવસની વડાપ્રધાન મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તમામ લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેમજ વિપક્ષ નેતા શક્તિસિંહે ગોહિલે પણ શુભેચ્છા પાઠવી છે
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયાના માધ્યમથી શુભકામના પાઠવી હતી. તે સિવાય અમિત શાહે પણ ગુજરાત સ્થાપના દિવસ નિમિતે રાજ્યના લોકોને શુભેચ્છા પાઠવી હતી. ગુજરાત સ્થાપના દિવસ નિમિતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની વિભૂતીઓને યાદ કરી હતી. વર્ષ 2025 થી 2035 સુધીના દાયકાને ઉત્કર્ષ ગુજરાત હીરક મહોત્સવ તરીકે ઉજવવાનો રોડમેપ નક્કી કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ વિક્સિત ગુજરાતના નિર્માણનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. વિપક્ષ નેતા શક્તિસિંહે ગોહિલે પણ શુભેચ્છા પાઠવી ગુજરાતને અલગ રાજ્યના દરજ્જા માટેની લડાઈમાં શહીદ થનાર સૌને શ્રદ્ધાંજલિ આપી હતી. શક્તિસિંહ ગોહીલે રવિશંકર મહારાજને યાદ કર્યા હતા. ગુજરાતની અસ્મિતા પ્રેમ અને ભાઈચારો તેમજ જયાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાતની પરંપરા હમેંશા જીવંત રહે તેવી આશા વ્યક્ત કરી હતી.
ગુજરાત સ્થાપના દિવસ નિમિતે એક્સ ઉપર હર્ષ સંઘવીએ લોકોને શુભેચ્છા પાઠવી હતી. ગુજરાતને સેવા, સુરક્ષા અને શાંતિના સદભાવવાળુ રાજ્ય ગણાવ્યું હતું. રાજ્યવાસીઓને ગુજરાત દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.