જાતિ આધારિત વસ્તી ગણતરીને રાહુલ ગાંધીનું સમર્થન,
રાહુલ ગાંધીએ કહ્યું અમે આ નિર્ણયનું સમર્થન કરીએ છીએ.
વસ્તી ગણતરી ક્યારથી થશે તેની તારીખ જાહેર કરવામાં આવે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે દિલ્હીમાં થયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સરકારે દેશભરમાં વસ્તી ગણતરીની સાથે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાનો નિર્ણય લીધો છે. જો કે, વિપક્ષી પાર્ટીઓ ખાસ કરીને કોંગ્રેસ તરફથી તેને 2024ની લોકસભા ચૂંટણી પહેલાથી જ મુદ્દો બનાવાય રહ્યો હતો. હવે કેન્દ્ર સરકાર તરફથી જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાના આ નિર્ણય બાદ વિપક્ષ તરફથી પણ તેને લઈને પ્રતિક્રિયા આવી રહી છે. ત્યારે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે દિલ્હીમાં થયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સરકારે દેશભરમાં વસ્તી ગણતરીની સાથે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાનો નિર્ણય લીધો જેને પગલે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં રાહુલ ગાંધીએ કહ્યું છે કે, સંસદમાં અમે કહ્યું હતું કે, જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવીને રહીશું. સાથે જ 50 ટકા અનામતની મર્યાદા પણ હટાવીશું. અમે આ નિર્ણયનું સમર્થન કરીએ છીએ.
જાતિ આધારિત વસ્તી ગણતરીને ડિઝાઈન કરવામાં અમારું સરકારને સમર્થન છે. અમારી પાસે બિહાર અને તેલંગાણાના બે ઉદાહરણ છે, જેમાં આસમાન અને જમીનનો ફરક છે. સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરીની રીતો જણાવો. સરકાર તારીખ જણાવે કે ક્યારે થશે જાતિ આધારિત વસ્તી ગણતરી
ભલે ઓબીસી હોય, દલિત હોય અથવા આદિવાસી તેમની દેશમાં કેટલી ભાગીદારી છે આ માત્ર જાતિ આધારિત વસ્તીગણતરીથી ખબર પડશે, પરંતુ આપણ વધુ આગળ જવાનું છે. આપણે તપાસ કરવાની છે કે, દેશની સંસ્થાઓ અને પાવર સ્ટ્રક્ચરમાં આ લોકોની કેટલી ભાગીદારી છે. કોંગ્રેસ પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં લખ્યું હતું કે, આર્ટિકલ 15(5) હેઠળ ખાનગી શિક્ષણ સંસ્થાનોમાં અનામત લાગૂ કરવામાં આવે અને અમારી માગ છે કે સરકાર તેને તાત્કાલિક લાગૂ કરે. આ અમારું વિઝન છે, પરંતુ સરકારે તેનો સ્વીકાર કર્યો, એટલા માટે અમે તેમનો આભાર માનીએ છીએ. અમને સંપૂર્ણ ટાઇમલાઈન જોઈએ કે ક્યાં સુધીમાં જાતિગત વસ્તીગણતરીનું કામ પૂર્ણ થઈ જશે. આ સિવાય ડેવલોપમેન્ટ વિઝન પણ અમારી સામે રાખો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી