દેશની દરિયાઈ તાકાતમાં થશે વધારો
આઈએનએસ સુરત પહોંચ્યું હજીરા પોર્ટ
આઈએનએસ સુરતને અપાયું વોટર કેનન સેલ્યુટ
લડાકૂ જહાજ આઈએનએસ સુરત આજે સવારે સુરતના હજીરા સ્થિત અદાણી પોર્ટ પર પહોંચ્યું છે. પ્રધાનમંત્રીએ ગયા વર્ષે આઈએનએસસુરતનું લોકાર્પણ કર્યું હતું, અને ત્યારબાદ ગુજરાતમાં આ તેનું પ્રથમ આગમન છે.
ભારતના દરિયાઈ સંરક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવતું લડાકૂ જહાજ INS સુરત આજે સવારે સુરતના હજીરા સ્થિત અદાણી પોર્ટ પર પહોંચ્યું છે. દેશવિરોધી તાકાતો સામે પ્રચંડ સંદેશ આપતી આ કામગીરી યુદ્ધસદૃશ તણાવ વચ્ચે ભારતીય નૌસેનાની તૈયારી દર્શાવે છે. પ્રધાનમંત્રીએ ગયા વર્ષે INS સુરતનું લોકાર્પણ કર્યું હતું, અને ત્યારબાદ ગુજરાતમાં આ તેનું પ્રથમ આગમન છે. વેલકમ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા તથા સુરત કલેક્ટર ઉપસ્થિત રહ્યા હતા. INS સુરત આગામી બે દિવસ સુધી સુરતના અદાણી પોર્ટ પર લંગર નાખી રહેશે.