ગોંડલમાં બે નંબરનું શું-શું ચાલે છે એ પુરાવા સાથે લાવીશું

Featured Video Play Icon
Spread the love

ગોંડલમાં બે નંબરનું શું-શું ચાલે છે એ પુરાવા સાથે લાવીશું
સૌરાષ્ટ્રમાં કહેવત છે માની ગાળ કોઈ ન ખાય, ગોળી ખાય લે
કથીરિયાએ કહ્યું હવે કાર્યકર્તાનો કોલર પણ ન પકડી શકે એવી તૈયારી સાથે જઈશું

સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગુરુકૃપા ફાર્મહાઉસ ખાતે કથીરિયા પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અલ્પેશ કથીરિયાનું સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન તેમણે ફરી એકવાર ગોંડલની ચર્ચા કરી હતી. જાહેર મંચ પરથી તેમણે કેટલાક મહત્ત્વના મુદ્દાઓને લઈને આગામી રણનીતિની વાત કરી હતી.

ગત દિવસોમાં રાજકોટ ગોંડલના ગણેશ જાડેજા દ્વારા સુરતના અલ્પેશ કથીરિયાને પડકાર ફેંકવામાં આવ્યો હતો, જે બાદ ગોંડલમાં ધમાસાણ થયું હતું અને અલ્પેશ કથીરિયા પોતાના કાફલા સાથે પહોંચ્યા હતા જે બાદ ગણેશ ગોંડલના સમર્થકોએ કાળા વાવટા અને હુમલા સાથે અલ્પેશ કથિરિયાનો વિરોધ કર્યો હતો. જે બાદ ફરી અલ્પેશ કથીરિયાએ સુરતમાં આજે ગણેશ ગોંડલને જવાબપડકાર ફેકતા જાહેર મંચથી જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં કહેવત છે કે માના દૂધને પડકાર ફેંકે અને કોઈ ગાળો આપે એ કોઈ ન ખાય, ગોળી ખાઈ લે. ગોંડલમાં મજા પડે ત્યારે ફરવા જઈશું. હવે ગાડીઓમાં નુકસાન તો શું એક કાર્યકરનો કોલર પણ પકડી ન શકે એવી તૈયારી હશે. અલ્પેશ કથીરિયાએ વધુમાં જણાવ્યું હતું કે ગોંડલમાં જે સત્તા ઉપર છે તેઓ કયા બે નંબરના ધંધા કરે છે, એના તમામ પુરાવા અમે લોકોને આપીશું. ક્યાં ગેમ્બલિંગ કરે છે? કોના ફાર્મહાઉસમાં બાયોડીઝલનો ધંધો ચાલે છે? જીએસટીનાં ખોટાં બિલો બનાવીને ખોટા ઇનવોઇસ ક્યાં તૈયાર થઈ રહ્યાં છે ? આવા તો અનેક ધંધાઓ ગોંડલમાં ચાલી રહ્યા છે અને અમે તમામના પુરાવા આપીશું.

બે સગીર વચ્ચે મારામારીના કેસમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે 23 માર્ચે સમાધાન થયું ત્યારે રાજકોટ જિલ્લા ભાજપ-પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું હતું કે પાટીદાર અને ક્ષત્રિય વચ્ચે રાજવી કાળથી સંબંધ છે. અહીં પાટીદાર સમાજના લોકોને કોઈ સમસ્યા નથી. જયરાજસિંહ અમારા બાપ સમાન છે. ગોંડલની સીટ પર કોઈ બહારની વ્યક્તિ નજર ન નાખે. અહીં ગણેશ ધારાસભ્ય બનશે. કોઈએ ગોંડલની સીટ માટે લાળ લટકાવવી નહીં. બહારના લુખ્ખાઓ ગોંડલની સીટ માટે આવું કરે છે. અહીં લડવા જેને આવવું હોય તે આવી જાય, અમે અહીં જ છીએ. અહીં અઢારે વર્ણના લોકો ભેગા થઈને રહે છે. અહીં જે પાટીદાર અને ક્ષત્રિય સમાજના લોકો વચ્ચે મતભેદ ઊભા કરવાના પ્રયત્નો કરાયા છે તે લોકોને જાહેરમાં હું કહું છું કે અહીં તમામ લોકો એક છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *