સુરતના નાનપુરા ખાતે માછીવાડમાં લાશ મળી
ફીસ માર્કેટમાંથી અજાણ્યા ઈસમની લાશ મળી
કરોડો રૂપિયાના ખર્ચે બનેલી માર્કેટ હાલ ખંડેર હાલતમાં
સુરતના નાનપુરા ખાતે આવેલ માછીવાડમાં બનેલી ફીસ માર્કેટમાંથી અજાણ્યા ઈસમની લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
સુરતના નાનપુરા માછીવાડ વિસ્તારમાં નવનિર્માણ બનેલી ફીસ માર્કેટમાંથી અજાણ્યા ઇસમની લાશ મળતા ચકચાર મચી હતી. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી માર્કેટમા દારૂ, જુગાર તેમજ એમડી ડ્રગ્સ વેચાતો હોવાના આક્ષેપો કરાયા હતાં. તો લાશ મળ્યાની જાણ થતા પોલીસ ઘટનાએ સ્થળે પહોંચી હતી. તો માછી સમાજ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ ફીશ માર્કેટ ચાલુ કરાવતી નથી. 13 વર્ષથી તૈયાર થયેલી ફીસ માર્કેટ બંધ હાલતમાં હોય જેથી સુરત મ્યુનિસિપલ કમિશનર પાસે માર્કેટ ચાલુ કરાવવા વિનંતી કરાઈ હતી. હાલ તો કરોડો રૂપિયાના ખર્ચે બનેલી માર્કેટ હાલ ખંડેર હાલતમાં છે.
