દિલ્હીના માજી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નિર્દોષ
મંત્રી મનીષ સિસોદિયા કથિત દારૂ કેસમાં નિર્દોષ
સુરતમાં આપ દ્વારા ઉજવણી કરાઈ
દિલ્હીના માજી મુખ્યમંત્રી અને આપ સંયોજક અરવિંદ કેજરીવાલ અને મંત્રી મનીષ સિસોદિયાને કોર્ટે કથિત દારૂ કેસમાં નિર્દોષ છોડી મુકતા સુરતમાં આપ દ્વારા ઉજવણી કરાઈ હતી.
શુક્રવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ જેમાં દિલ્હીના માજીમુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સામે કરવામાં આવેલા કથિત દારૂ કેસમાંથી આરોપ મુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે સત્યની જીત થઈ છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને આમ આદમી પાર્ટી ઈમાનદાર છે જેની ફરી એક વખત સાબિતી નામદાર કોર્ટે આપી હોય જેને લઈ સુરતના અઠવાગેટ ખાતે આપ દ્વારા કોર્ટના ચુકાદાની ઉજવણી કરાઈ હતી.
