સુરતની વરાછા પોલીસે ભાગી છુટેલા ઠગોને ઝડપ્યા
લાખોની ઠગાઈ આચરી ભાગી છુટેલા ઠગોને અઢી વર્ષે ઝડપ્યા
રામસ્વરૂપ જાલીમસીંગ નાયક અને અંકિત રામસ્વરૂપ નાયકને ઝડપ્યા
સુરતની વરાછા પોલીસે લાખોની ઠગાઈ આચરી ભાગી છુટેલા ઠગોને અઢી વર્ષે ઝડપી પાડ્યા હતાં.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર અને મદદનીશ પોલીસ કમિશનર પટેલની સુચનાને લઈ પીઆઈ એઆર વાળાની ટીમ પીએસઆઈ એજી પરમારના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો મહેશભાઈ, અપોકો જીજ્ઞેશગીરી અને વુ.અ.પો.કો. પાયલબેનએ સંયુક્ત બાતમીના આધારે અઢી વર્ષથી 68 લાખ 28 હજારથી વધુની ઠગાઈના ગુનામાં નાસતા ફરતા રામસ્વરૂપ જાલીમસીંગ નાયક અને અંકિત રામસ્વરૂપ નાયકને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
