ભાવનગરમાં રાષ્ટ્રીય અગ્નિશામક સેવા દિવસની ઉજવણી
મોકડ્રીલ અને જાગૃતિ કાર્યક્રમો યોજાયા
ભાવનગરમાં રાષ્ટ્રીય અગ્નિશામક સેવા દિવસની ઉજવણી કરાય, મોકડ્રીલ અને જાગૃતિ કાર્યક્રમો યોજાયા
ભાવનગર શહેરમાં આજે રાષ્ટ્રીય અગ્નિસશમન સેવા દિવસની ઉજવણી કરવામાં આવે છે જેને પગલે ભાવનગર ફાયર વિભાગ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી. ૧૪ એપ્રિલ ૧૯૪૪ ના મુંબઈ ડોકયાર્ડમાં માલવાહક જહાજમાં ભીષણ વિસ્ફોટ દરમિયાન ૬૬ જેટલા ફાયર જવાનો શહીદ થયા હતા જેની સ્મૃતિમાં ફાયર ડે ની ઉજવણી કરાઈ છે. આ સાથે શહેરમાં વિવિધ ઈમારતોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોને ફાયર સેફ્ટીની જાગૃતિ અંગે પણ કાર્યક્રમ પણ યોજાયા હતા.
