ગુજરાતના અમદાવાદમાં એન્વાયરમેન્ટ બાબા પધાર્યા
108 કુંડી શ્રી માં બગલામુખી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.
અમદાવાદમાં યજ્ઞ કરી પર્યાવરણ બચાવશે,
સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં 82 યજ્ઞ કર્યા
અમદાવાદના શાંતિપુરા સર્કલ પાસે લંબે નારાયણ આશ્રમમાં એન્વાયરમેન્ટ બાબા આવ્યા છે. તેઓ પર્યાવરણ બચાવવા માટે 108 કુંડીમાં બગલામુખી મહાયજ્ઞનું આયોજન કરવાના છે. 2010 થી તેઓ આ રીતે યજ્ઞ કરી રહ્યા છે. જેમાં દેશભરમાં અત્યાર સુધીમાં તેમણે 82 જેટલા યજ્ઞો કર્યા છે.
દેશભરમાં દિન પ્રતિદિન ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વધી રહી છે અને તે માટે પર્યાવરણ જાગૃતિ જરૂરી છે. તેવામાં ગુજરાતમાં પર્યાવરણ બચાવવા અને રાજ્યને હરિયાળુ બનાવવાના ઉદ્દેશ સાથે અમદાવાદમાં એન્વાયરમેન્ટ બાબા પધાર્યા છે. શાંતિપુરા સર્કલ પાસે આવેલ લંબે નારાયણ આશ્રમમાં પર્યાવરણ જાગૃતિ માટે એન્વાયરમેન્ટ બાબા દ્વારા 108 કુંડીમાં બગલામુખી મહાયજ્ઞનું આયોજન કરાયું છે. જેથી હાલ અમદાવાદ શહેરમાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. કારણ કે પર્યાવરણ બચાવવા આ બાબા હવે યજ્ઞનું આયોજન કરવાના છે. વર્ષ 2010 થી તેમણે શરૂ કરેલા પર્યાવરણ જાગૃતિ માટેના આ યજ્ઞને કારણે તેઓ એન્વાયરમેન્ટ બાબાના નામથી પ્રસિદ્ધ થયા છે. દરેક જીવાત્માઓને શુદ્ધ ઓક્સિજન મળશે તો મનુષ્ય પોતાનું સો વર્ષનું જીવન સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરશે તેવું તેમનું માનવું છે.
સમગ્ર દેશમાં એન્વાયરમેન્ટ બાબાના નામથી પ્રસિદ્ધ થયેલા આવાહન પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર 1008 અનંત વિભૂષિત અવધૂત બાબા અરુણ ગિરિજી મહારાજ અમદાવાદ આવ્યા છે. વર્ષોથી આ બાબા એન્વાયરમેન્ટ પર કામ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં પર્યાવરણ જાગૃતિ માટે 82 જેટલા યજ્ઞ કરી ચૂક્યા છે. તેમના અને તેમના અનુયાયીઓ દ્વારા દેશ અને વિદેશમાં એક કરોડથી પણ વધુ વૃક્ષારોપણના કાર્યક્રમો કરવામાં આવ્યા છે. હાલની સ્થિતિને જોતા કોઈપણ વ્યક્તિની સરેરાશ આયુ 50 થી 60 વર્ષ થઈ ગઈ છે. તેનું એક જ કારણ છે કે શુદ્ધ વાતાવરણ આપણને પ્રાપ્ત થતું નથી. યજ્ઞ કરવાથી પણ શુદ્ધ ઓક્સિજન મળી શકે છે. જો ગાયના ઘૃતમાંથી એક આહુતિ આપવામાં આવે તો શુદ્ધ ઓક્સિજનની પ્રાપ્તિ થાય છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી