ફિલ્મ ડાયટેક્ટર અનુરાગ કશ્યપની સોશિયલ મીડિયા પોસ્ટનો ગુજરાતમાં વિરોધ

Featured Video Play Icon
Spread the love

ફિલ્મ ડાયટેક્ટર અનુરાગ કશ્યપની સોશિયલ મીડિયા પોસ્ટનો ગુજરાતમાં વિરોધ
અપમાજનક અભદ્ર અને ઉશ્કેરણીજનક ભાષાનો આરોપ,
બ્રહ્મસમાજ વિરુદ્ધ ટિપ્પણી મુદ્દે પોલીસ ફરિયાદ.
ગણાધીનગર સેક્ટર 6 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ.

ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે બ્રાહ્મણો વિરુદ્ધ કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓએ દેશભરમાં વિવાદ સર્જ્યો છે. તેમની વિરુદ્ધ ઇન્દોર, મુંબઈ, દિલ્હી અને જયપુર સહિતના શહેરોમાં ફરિયાદો નોંધાઈ છે. ત્યારે ગુજરાતમાં પણ વિરોધ જોવા મળ્યો છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ વિરોધ જોવા મળ્યો હતો.

ફૂલે’ ફિલ્મને લઈને ઊભા થયેલા વિવાદ દરમિયાન, અનુરાગ કશ્યપે વાંધાજનક નિવેદન કર્યું હતું. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જો વડાપ્રધાન મોદીએ દેશમાંથી જાતિવાદનો અંત આણ્યો હોય, તો બ્રાહ્મણો હજુ પણ કેમ અસ્તિત્વમાં છે. આ નિવેદન બાદ ચાણક્ય સેના, સર્વ બ્રાહ્મણ મહાસભા, બ્રાહ્મણ સેવા સંઘ સહિતના અનેક સંગઠનોએ સંયુક્ત બેઠક યોજી હતી. આજે ગાંધીનગરમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના મહામંત્રી ડૉ. અશ્વિન ત્રિવેદી અને અન્ય આગેવાનોએ સેક્ટર-7 પોલીસ મથકમાં ફિલ્મ નિર્માતા વિરુદ્ધ FIR દાખલ કરવા લેખિત રજૂઆત કરી છે. અનુરાગ કશ્યપ દ્વારા X ઉપર બ્રાહ્મણ સમુદાય વિરૂધ્ધ અત્યંત અપમાજનક અભદ્ર અને ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમની ટીપ્પણીઓ પહેલા ઈન્સ્ટગ્રામ પર પોસ્ટ કરવામાં આવી હતી અને પછી X પર ચર્ચાનો વિષય બની હતી.

ફિલ્મ ‘ફૂલે’માં બ્રાહ્મણોની છબી સામે પણ સમુદાયે વાંધો ઉઠાવ્યો છે. અનુરાગ કશ્યપે સેન્સર બોર્ડ અને કેન્દ્ર સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા છે. આ સમગ્ર વિવાદે હવે રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનું રૂપ ધારણ કર્યું છે. ફરિયાદ અનુસાર ઈન્સ્ટાગ્રામ પર તેમને મૂકેલી પોસ્ટમાં બ્રાહ્મણ સમાજ સામે અપશબ્દ અને કટાક્ષ કરાયો હોવાનું જણાવાયું છે. વડાપ્રધાનના અટકના ઉલ્લેખ સાથે ટકોર કરવી તથા જાતિગત ટીકા કરાઈ હોવાનો આક્ષેપ છે. તેમની પોસ્ટ પર કોમેન્ટ કરનાર લોકો દ્વારા પણ અરજદાર અને સમગ્ર બ્રાહ્મણ સમાજની લાગણીઓ દુભાઈ છે. આ પોસ્ટના કોમેન્ટ વિભાગમાં પણ અશ્લીલ ટિપ્પણીઓ જોવા મળી હોવાનું અરજદારનું માનવું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *