વડોદરા સંત કબીર સ્કૂલના સંચાલકોની ફી વધારા મુદ્દે મનમાની.

Featured Video Play Icon
Spread the love

વડોદરા સંત કબીર સ્કૂલના સંચાલકોની ફી વધારા મુદ્દે મનમાની.
વિદ્યાર્થીઓના LC આપવામાં શાળાની આનાકાની.
અગાઉના વર્ષના ડિફરન્સના નામે વધુ પૈસા માટે ઉઘરાણી.
સંચાલકોએ કહ્યું જો પૈસા ભરશો તો જ મળશે LC
વિદ્યાર્થીઓના LC ન આપતા વાલીઓની DEOને રજૂઆત

વડોદરામાં સંત કબીર સ્કૂલ દ્વારા ફી બાકી હોવાથી વિદ્યાર્થીઓના એલસી ન આપવાના મામલે જિલ્લા શિક્ષણાધિકારીને વાલીઓએ રજૂઆત કરી હતી અને સંત કબીર સ્કૂલ દ્વારા એફઆરસીથી કરતાં વધારે ફી લવામાં આવતી હોવાના વાલીઓએ આક્ષેપો કર્યા હતા

વડોદરામાં સંત કબીર સ્કૂલ દ્વારા ફી બાકી હોવાથી વિદ્યાર્થીઓના LC ન આપવાના મામલે જિલ્લા શિક્ષણાધિકારીને વાલીઓએ રજૂઆત કરતા કહ્યું હતું કે સ્કૂલ તરફથી 19 એપ્રિલના રોજ અમને ફોન કરવામાં આવ્યો હતો કે, તમારા બાળકોના પેપર જોવા માટે આવવાનું છે. જેથી અમે સ્કૂલમાં ગયા હતા. જ્યાં અમને ફી ભરવાનું કાગળ આપવામાં આવ્યું હતું. જેમાં ટર્મ ફી પણ સામેલ હતી. જો કે, અમે ટર્મ ફી ભરી દીધી હતી. સંત કબીર દ્વારા એફઆરસીના નિયમોનું પાલન કરવામાં આવતું નથી અને તેઓએ ફી અંગેની માહિતી નોટીસ બોર્ડ પર લગાવી નથી. અમારી પાસેથી ડબલ ફી વસુલવા માટે આ કામ કરી રહ્યા છે.

વધુમાં જણાવ્યું હતું કે, આટલી ફી ભરો તો જ એલસી આપવામાં આવશે તેમ તેઓ કહી રહ્યા છે. સ્કૂલ દ્વારા વાલીઓને હેરાન કરવામાં આવે છે. આજે અમે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી છે કે, અમારા વાલીઓના એલસી અમને પરત અપાવે. ત્યારે આ મામલે ઇન્ચાર્જ વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડેએ જણાવ્યું હતું કે, આ મામલે અમે સંત કબીર સ્કૂલમાં ટીમ મોકલીને તપાસ કરાવીશું અને તેના રિપોર્ટના આધારે પગલાં લેવામાં આવશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *