પહલગામમાં આતંકી હુમલા બાદ દેશભરમાં રોષ

Featured Video Play Icon
Spread the love

પહલગામમાં આતંકી હુમલા બાદ દેશભરમાં રોષ
લોકો સ્વયંભૂ બંધ રાખી વિરોધ નોંધાવ્યો
દાંતાના ત્રણ ગામના લોકોએ વિરોધ બંધ પાળ્યું

બનાસકાંઠામાં પહેલગામ આતંકવાદી હુમલાની અસર જોવા મળી છે. આજે દાતામાં સજ્જડબંધ જોવા મળ્યું. વેપારીઓએ પણ દુકાન બંધ રાખીને આતંકવાદીઓના આ નરાધમ કૃત્ય સામે વિરોધ નોંધાવ્યો છે.

બનાસકાંઠામાં પહેલગામ આતંકવાદી હુમલાની અસર જોવા મળી છે. દાંતા તાલુકામાં પણ સ્થાનિકોએ વિરોધ નોંધાવતા ત્રણ ગામના લોકોએ બંધ પાળ્યું છે. પહેલગામ આતંકી હુમલા લઈને ગામના લોકોમાં આક્રોશ જોવા મળ્યો. બજારના વેપારીઓ સહિત સ્થાનિકોએ પણ બજાર બંધને સમર્થન આપ્યું છે. વેપારીઓનું કહેવું છે કે વારંવાર આ રીતે થતા આતંકી હુમલાના કારણે નિર્દોષ લોકોના મોત થાય છે. એટલે ભવિષ્યમાં ફરી આતંકીઓ આવા ઘાતકી હુમલા ના કરે માટે ભારત સરકારે આ ઘટનાને લઈને જવાબદારોને જડબાતોડ જવાબ આપવો જોઈએ. અમે સરકારની સાથે છીએ.

આતંકી હુમલાને પગલે વેપારી સગઠનો, વિશ્વ હિન્દુ પરિષદ અને અનેકવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. અને સ્થાનિક લોકોએ પણ આ બંધને સમર્થન આપ્યું છે. પહેલગામ હુમલામાં માર્યા ગયેલ નિર્દોષ પ્રવાસીઓને લઈને દેશભરમાં રોષ જોવા મળ્યો.. જણાવી દઈએ કે 22 મંગળવારના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બૈસરન ઘાટીમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 27 લોકોના મોત થયા હતા. આતંકીઓએ પ્રવાસીઓ પર હુમલો કરતા પહેલા તેમનો ધર્મ પૂછયો હતો અને તેમને કલમા વાંચવાનું કહ્યું હતું. આતંકીઓએ ચોક્કસ ધર્મના લોકોને નિશાન બનાવતા નાગરિકો સહિત દિગ્ગજ હસ્તીઓએ પહેલગામની ઘટનાને વખોડી હતી. દેશભરમાં આતંકવાદીઓને પાઠ ભણાવવા કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *