સુરત કલેકટરાલયે મહુવા તલુકાના લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા
પાવર ગ્રીડ કો ઓપરેટીવ ઈન્ડિયા લિમિટેડનો પ્રોજેક્ટ સ્થગિત કરવા માંગ કરી
સુરત જિલ્લાના મહુવા તાલુકાના લોકો દ્વારા સુરત કલેકટરને આવેદન પત્ર આપી પાવર ગ્રીડ કો ઓપરેટીવ ઈન્ડિયા લિમિટેડનો પ્રોજેક્ટ સ્થગિત કરવા માંગ કરી હતી.
સુરત કલેકટરાલયે મહુવા તલુકાના લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને કલેકટરને આવેદન પત્ર આપી સુરત જિલ્લાના મહુવા તાલુકામાંથી પસાર થનાર પાવર ગ્રીડ કો ઓપરેટીવ ઈન્ડિયા લિમિટેડના પ્રોજેક્ટને સ્થગિત કરવાની માંગ સાથે વિરોધ કર્યો હતો. સ્થાનિકોએ કહ્યુ હતુ કે મહુવામાં મોટાભાગના ખેડૂતો આદિવાસીઓ છે અને તેમની જમીન પર કોઈ પણ બાંધકામ કે ખેતી જમીનમાંથી બિનખેતી કરવા કલેકટરની પરવાનગી લેવાની હોય છે પરંતુ સરકાર દ્વારા 8 એપ્રિલ 2025ના ઠરાવના પરિપત્ર મુજબ ખેતીની જીન બિનખેતીના ઉપયોગમાં લેવા કલેકટરની પરવાનગી લેવાની રહેશે નહી તેમ કહ્યુ હોય જેથી તેનો વિરોધ કરાયો હતો.
