સુરતની ઉધના પોલીસે આધેડની હત્યા કરનાર ઝડપ્યો
મોપેડ અથડાવવા બાબતે ચપ્પુના ઘા ઝીંકી આધેડની હત્યા કરી હતી
પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
સુરતની ઉધના પોલીસે મોપેડ અથડાવવા બાબતે ચપ્પુના ઘા ઝીંકી આધેડની હત્યા કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે ઉધના પોલીસે જણાવ્યું હતું કે , તારીખ ૨૫/૦૪/૨૦૨૫ના રોજ ઉધનામાં હરીનગર -૩માં રહેતા ૪૭ વર્ષીય સરોજકુમાર ખિરોદ મંહતી રાતે નોકરી પુર્ણ કરી બાઈક પર ઘરે આવવા નીકળ્યા હતા. તે સમયે ઉધના રોડ કૈલાશનગર પાસે શ્રીજી હોસ્પિટલ પાસે રોડ પર બાઇકચાલક સમીર સદામ બહેરાનું મોપેડ ભટકાયું હતું. આ મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં સમીરના મિત્રો ત્યાં દોડી આવ્યા હતા. અને સરોજકુમારને ગાળો આપીને ઢીક મુક્કીનો માર મારી ડાબા હાથની આંગળી અને કાંડાના ભાગે તેમજ કોણીમાં ચપ્પુનો ઘા માર્યો હતો. જેથી સરોજકુમારને તુરંત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પણ ટુંકી સારવાર દરમિયાન મોત થયું હતું. તેઓ મુળ ઓરીસ્સાના વતની હતા. સંતાનમાં એક પુત્ર છે. તે ખાનગી કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા હતા. આ અંગે ઉધના પોલીસે ફુટેજના આધારે આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી છે. પોલીસે ચપ્પુના ઘા ઝીંકનાર સમીર સદામ બહેરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.