સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ
વરાછા ઓવર બ્રિજ પર ત્રણ કાર વચ્ચે સર્જાયેલા અકસ્માત
અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી
સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે વરાછા ઓવર બ્રિજ પર ત્રણ કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતને લઈ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જો કે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી.
સુરતમાં રોજેરોજ અકસ્માતની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના વરાછા ઓવર બ્રિજ પર કારો વચ્ચે અકસ્તાત સર્જાયો હતો. વરાછા ઓવર બ્રિજ પર ત્રણ કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતને લઈ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી તો બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિક હળવો કર્યો હતો. જો કે અકસ્માતમાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.
