WI-FI ચાલુ રાખો છો તો ચેતજો – આરોગ્યને પહોંચી શકે છે નુકસાન

Spread the love

શું તમે પણ રાત્રે વાઈફાઈ ઓન કરીને સૂઈ જાઓ છો તો તમારી આ આદતને આજે જ બદલી નાખો કારણકે વાઈફાઈની ખતરનાક તરંગો તમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડી શકે છે.
કોરોના મહામારીથી દેશભરમાં ઇન્ટરનેટનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. ઘણા લોકો હવે ઘરેથી જ કામ એટલે કે વર્ક ફોર હોમ કરે છે, જેના કારણે તેઓએ ઘરોમાં WiFi શરુ કરાવ્યા છે. આ WiFi સિસ્ટમ રાત્રે પણ ચાલુ રહે છે અને જેના ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો આખા ઘરમાં ફેલાય છે. આખી રાત વાઇફાઇ ચાલુ રાખવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થાય છે. વૈજ્ઞાનિકોના મત મુજબ રાત્રે WiFi ના ઉપયોગને લઇ ચેતવણી આપી છે.


નિષ્ણાતોના મતે વાઇફાઇ રાઉટરમાંથી અનેક પ્રકારના રેડિયેશન તરંગો નીકળે છે. આ તરંગોને ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો કહેવામાં આવે છે. આ તરંગો સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ ગંભીર અસર કરે છે. જેના કારણે લોકોમાં બ્લડપ્રેશર – અનિદ્રા અને ડિપ્રેશનની સમસ્યા વધી રહી છે. ઈન્ટરનેટનો વધુ પડતો ઉપયોગ અને તેના રાઉટરમાંથી નીકળતી ઈલેક્ટ્રોમેગ્નેટિક તરંગો ઊંઘ ઉપર પ્રતિકૂળ અસર કરે છે.


તબીબોના જણાવ્યા મુજબ રાત્રે વાઈફાઈમાંથી નીકળતી રેડિયેશન તરંગો લોકોને માનસિક રીતે બીમાર બનાવે છે. જેના કારણે તેમનામાં અલ્ઝાઈમરની સમસ્યા વધવા લાગે છે. એટલું જ નહીં ઇન્ટરનેટના વધુ પડતા ઉપયોગને કારણે લોકોની યાદ રાખવાની ક્ષમતા ઉપર ખરાબ અસર પડે છે.
આઈટી નિષ્ણાતોના જણાવ્યા મુજબ રેડિયેશનથી બચવા માટે રાત્રે વાઈફાઈ બંધ કરી દેવા જોઈએ. આમ કરવાથી તમે ઈલેક્ટ્રોમેગ્નેટિક તરંગોની આડઅસરથી તમારી જાતને બચાવી શકો. આ ઉપાયથી રાત્રે સારી ઉંઘ આવે છે અને ઘણી ગંભીર બીમારીઓથી પણ બચી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *