માસૂમ બાળકી પર દુષ્કર્મ કેસમાં કોર્ટનો કઠોર ચુકાદોઃ
આરોપી અજય પરમારને જીવનના અંતિમ શ્વાસ સુધી કેદ
ભાવનગરમાં બે વર્ષ પૂર્વે વરતેજ પોલીસ મથકના વિસ્તારમાં ચાર વર્ષ અને આઠ મહિનાની માસુમ બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની ફરીયાદ બાળકીની માતાએ નોંધાતા પોલીસે આરોપી અજયભાઈ રાયમલભાઈ પરમારને ઝડપી લીધો હતો. જેનો કેસ ભાવનગરની સ્પેશીયલ પોકસોની અદાલતમાં ચાલી જતાં કોર્ટે સાહેદો અને દસ્તાવેજી પુરાવાઓ તપાસીને અજય રાયમલભાઈ પરમારને એમની બાકી રહેલ જીંદગીના છેલ્લા શ્વાસ સુધીની સજા ફરમાવી હતી અને ૧,૦૫,૦૦૦ નો દંડ ફટકાર્યો હતો..
