માંડવીના રામકુંડ શાળાનું પરિણામ સો ટકા
વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી
માંડવીની શ્રી સરસ્વતી વિદ્યાલય ઉશ્કેર રામકુંડનું એસએસસીનું 100 ટકા પરિણામ આવ્યું.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ 2025 દ્વારા હાલમાં લેવાયેલ એસએસસી પરીક્ષાનું પરિણામ જાહેર થતાં માંડવી તાલુકામાં આવેલ શ્રી સરસ્વતી વિદ્યાલય ઉશ્કેર રામકુંડ ના શાળાનું પરિણામ સો ટકા આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી પ્રથમ ક્રમે પટેલ પ્રાંજલ રાજેશભાઈ 91.16% બીજા ક્રમે પટેલ ધૃતિ રાકેશભાઈ 89.33 ટકા તૃતીય ક્રમે વસાવા કશીશ હિતેશભાઈ 88% સાથે ઉતીર્ણ થયેલ છે તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ સંદીપભાઈ શર્મા મંત્રી સિદ્ધાર્થ શર્મા તેમજ તમામ ટ્રસ્ટી ગણોએ આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા…