સુરેન્દ્રનગરમાં રોગચાળો અટકાવવા થતા દવાના છંટકાવમાં લોલમલોલ

Featured Video Play Icon
Spread the love

સુરેન્દ્રનગરમાં રોગચાળો અટકાવવા થતા દવાના છંટકાવમાં લોલમલોલ
ડીડીટી પાવડરના બદલે સફેદ ચોકનો પાવડર છંટાતો હોવાનો આક્ષેપ.
માત્ર સફેદ પાવડરનો છંટકાવ કરી રહી છે મહાનગરપાલિકા

સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિસ્તારોના માર્ગ તેમજ રહેણાંક વિસ્તારોમાં ડીડીટી પાવડરના બદલે સફેદ ચોકનો પાવડર હોવાના લોકોએ આક્ષેપો કરાતા ચકચાર ફેલાઇ છે.

સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિસ્તારના માર્ગ તેમજ રહેણાંક વિસ્તારોમાં ડીડીટી પાવડરના બદલે સફેદ ચોકનો પાવડર છાંટતા અમૃતભાઈ મકવાણાએ જણાવ્યું કે તા 3 જુલાઈએ સુરેન્દ્રનગર નવા 80 ફૂટ રોડ ખાતે રોડની બંને બાજુએ તંત્ર દ્વારા જંતુનાશક પાઉડરનો છંટકાવ કરાતો હતો. ત્યારે પાલિકાના કામદારોને આ જંતુનાશક દવા કયા પ્રકારની છે તે અંગે પૂછવામાં આવતા તેમની પાસે આનો કોઈ જવાબ ન હતો. ત્યારે જવાબદાર અધિકારીને સ્થળ ઉપર બોલાવયા. તેમણે કહ્યું, આ માત્ર ચૂનાનો પાઉડર છે. મેં એમને પૂછ્યું કે આ ચૂનાના પાવડરથી જીવજંતુ મરે કે કેમ સવાલો કર્યા હતા. ત્યારે તેમણે કહ્યું, જ્યાં ટેસ્ટિંગ કરાવવું હોય ત્યાં કરાવી લો આખા ગુજરાતમાં આ ચૂનાનો પાઉડર નંખાય છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *