સુરતમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી માર મારી લુંટ કરનાર ટોળકી ઝડપાઇ
ઉંમર પોલીસે ટોળકી પાસેથી લુંટમાં ગયેલ મુદ્દામાલ સહિતની મત્તા કબ્જે કરી
પોલીસે 9 અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન અને ઓટો રીક્ષા કબ્જે કરાઈ
સુરતમાં વધી રહેલી ચોરી સહિતની ઘટનાઓ વચ્ચે રિક્ષામાં મુસાફરોને બેસાડી માર મારી લુંટ કરનાર ટોળકીને ઉમરા પોલીસે ઝડપી પાડી ટોળકી પાસેથી લુંટમાં ગયેલ મુદ્દામાલ સહિતની મત્તા કબ્જે કરી હતી.
સુરત પોલીસ કમિશર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર ટુ અને નાયબ પોલીસ કમિશનર ઝોન ચાર તથા મદદનીશ પોલીસ કમિશનર જી ડીવીઝનની સુચના મુજબ ઉમરા પોલીસ મથકના પી.આઈ. જે.એ. રાઠવાની સુચનાથી ઉમરા પોલીસે સ્ટેશન વિસ્તારમાં બનતા મિલકત સંબંધી અનડિટેક્ટ ગુનાઓ અને ચોરી કરનાર ઈસમોને પકડવા સુચના આપી હોય જેને લઈ પી.એસ.આઈ. બી.ડી. વાઘ તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ નિતેષ જગશી તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અશોક જોધા અને મહેન્દ્ર માલજીએ બાતમીના આધારે તથા સીસીટીવી કેમેરા ચેક કરી રીક્ષામાં મુસારોને બેસાડી મારમારી મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયાની લુંટ કરી ભાગી છુટેલા આરોપીઓ જેમાં મુળ યુપીનો અને હાલ પાંડેસરા આશીર્વાદ નગરમાં રહેતા આલોક ક્રિષ્ણમોહન ધુરીયા અને બીજો મુળ બિહારનો અને હાલ પાંડેસરા બાપુનગર પાસે ગણેશ નગરમાં રહેતા પ્રેમકુમાર સરમનસીંઘ કહાર અને તેઓની સાથે બે બાળ કિશોરને ઝડપી પાડ્યા હતાં. અને તેઓ પાસેથી પોલીસે 9 અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન તથા ઓટો રીક્ષા મળી લાખોનો મુદ્દામાલ કબ્જે કરી ચારેય વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.