સાબરકાંઠામાં જીવલેણ ચાંદીપુરાએ વધુ એકનો લીધો ભોગ.
પોશીનામાં બાળકે પોતાના ઘરે જ દમ તોડ્યા.
ચાંદીપુરા વાયરસથી કુલ 4 બાળકોના થયા મોત.
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ જીવલેણ ચાંદીપુરા વાયરસનો ભય ફરી એકવાર સામે આવ્યો છે.
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાંથી એક અત્યંત ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે. અહીં સારવાર હેઠળ રહેલા એક ૬ વર્ષના માસૂમ બાળકનું ચાંદીપુરા વાયરસના કારણે કરુણ મોત નીપજ્યું છે. લેબોરેટરી રિપોર્ટમાં વાયરસની પુષ્ટિ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. મળતી માહિતી અનુસાર, આ મૃતક બાળક મૂળ પડોશી રાજ્ય રાજસ્થાનનો વતની હતો. ચાર દિવસ પહેલા તેને તીવ્ર તાવ, ઉલ્ટી અને મગજ પર સોજા જેવા ગંભીર લક્ષણો જણાતા પરિવારજનો તેને તાત્કાલિક સારવાર માટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. બાળકની અત્યંત ગંભીર હાલતને જોતા તબીબોએ તેને આઈસીયુ વોર્ડમાં દાખલ કર્યો હતો.
સારવાર દરમિયાન બાળકની તબિયત વધુ લથડતા, શંકાસ્પદ લક્ષણોના આધારે તેના લોહીના સેમ્પલ પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિરોલોજી અથવા માન્ય લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. કમનસીબે, રિપોર્ટ પોઝિટિવ આવે તે પહેલા જ માસૂમે દમ તોડી દીધો હતો. ત્યારબાદ આવેલા રિપોર્ટમાં બાળકને ચાંદીપુરા વાયરસ હોવાનું સત્તાવાર રીતે સાબિત થયું છે. બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે જ સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જે વિસ્તારમાંથી બાળકને હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો તે અને તેની આસપાસના વિસ્તારોમાં મેડિકલ ટીમો દ્વારા ઘરે-ઘરે જઈને અન્ય બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી રહી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
