સુરતમાં હિન્દુનેતા ઉપદેશ રાણાની કારમાં તોડફોડ
ગેરેજમાં મૂકેલી કારના અજાણ્યા શખસોએ કાચ તોડ્યા
અગાઉ આતંકી સંગઠનોએ ધમકીઓ આપી હતી
સુરતના હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાની કારમાં તોડફોડ કરાઈ હોવાની ઘટનાને લઈ ગોડાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.
સુરતના હિન્દુવાદી નેતાની કારમાં તોડફોડની ઘટના સામે છે. ઉપદેશ રાણાની કાર હાલ ગેરેમાં મુકાઈ હોય અને ઉપદેશ રાણા હૈદરાબાદ ગયો હતો તે સમયે ખેતપાલના ગેરેજમાં જ ઉપદેશ રાણાની કારમાં અજાણ્યાઓએ તોડફોડ કરી હતી. જેને લઈ ગેરેજ માલિક દ્વારા હાલ તો ગોડાદરા પોલીસ મથકે ફરિયાદ કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે. તો તોડફોડની ઘટના 21 સપ્ટેમ્બર, 2025 ના રોજ રાત્રિના 8:30થી 9:20 વાગ્યાની વચ્ચે બની હતી. હાલ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
