સુરત જિલ્લાના બારડોલીમાં પણ ગણેશ વિસર્જન
બારડોલી નગરના અને તાલુકા મળી 500 થી વધુ પ્રતિમાઓનું વિસર્જન
ગણેશ વિસર્જનને લઈ સુરત જિલ્લાના બારડોલીમાં પણ ગણેશ વિસર્જન પ્રક્રિયા થઈ..બારડોલી નગરના અને તાલુકા મળી 500 થી વધુ પ્રતિમાઓનું વિસર્જન થયું….
ગણેશ વિસર્જનને લઈ સુરત જિલ્લાના બારડોલીમાં પણ ગણેશ વિસર્જન પ્રક્રિયામાં 3 ફૂટથી નાની પ્રતિમા નુજ મિઢોળા નદીમાં વિસર્જન થયું, બારડોલીના રામજી મંદિર પાછળ આવેલ મિઢોળા નદીના ઓવારે વિસર્જન શરૂ થયું હતું જેને પગલે બંદોબસ્ત માટે જેમાં 3 DYSP, 11 PI, 16 પીએસઆઈ, હોમગાર્ડ, ગ્રામ રક્ષક દળ મળી કુલ 347 થી વધુ જવાનો તૈનાત કરાયા હતા. બારડોલી નગરમાં નાની પ્રતિમાઓનું મિઢોળા નદીના ઓવારે શાંતિ પૂર્ણ માહોલમાં વિસર્જન પ્રક્રિયા ચાલ્યું હતું. અનિચ્છનીય ઘટના નહીં બને તે માટે ફાયર દ્વારા ઇલેક્ટ્રિક બોટ પણ મુકાઈ હતી અને આફત સમયે ત્વરિત રેસ્ક્યુ કરી શકાય એ માટે બારડોલી ફાયર વિભાગ એલર્ટ મોડ પાર હતી
