પાલનપુર પાટીયા પાસે ઝેરોક્ષ અને સ્ટેશનરીની દુકાનમાં આગ
સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહી
આગના કારણે દુકાનમાં ભારે નુકશાન થયુ
સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પાલનપુર પાટીયા પાસે ઝેરોક્ષ અને સ્ટેશનરીની દુકાનમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી.
સુરતમાં આગના બનાવો વચ્ચે ફરી દુકાનમાં આગ લાગી હતી. સુરતના પાલનપુર પાટીયા પાસે ગણેશ મંદિર નજીક આવેલ ઝેરોક્ષ અને સ્ટેશનરીની દુકાનમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. તો આગને પગલે મોરાભાગળ અને પાલનપુર પાટીયાની ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. અને ફાયરના જવાનોએ આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. તો સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ આગમાં દુકાનમાં ભારે નુકશાન થયુ હતું.
