સુરત નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં
સિવિલ હોસ્પિટલ પર ગંભીર બેદરકારીના આક્ષેપો
હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફ સામે આક્ષેપો કરાયા
મૃતક દર્દીના પરિવારજનોએ મચાવ્યો હોબાળો
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તબીબો દર્દી પર ધ્યાન ન આપતા હોવાના આક્ષેપ સાથે મૃતક દર્દીના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.
સુરત નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. તો આ વખતે સિવિલ હોસ્પિટલ પર ગંભીર બેદરકારીના આક્ષેપો કરાયા છે. નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી ક્રિષ્ના શિસાઢનુ મોત નિપજતા પરિવારજનો દ્વારા હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફ સામે આક્ષેપો કરાયા છે. અને દર્દીની તબિયત ખરાહ હોવા છતા તબીબો દ્વારા ધ્યાન આપવામાં ન આવતુ હોય જેને લઈ દર્દીનુ મોત નિપજ્યુ હોવાના આક્ષેપો કરી ઘટનાનો વિડીયો પણ બનાવાયો હતો. અને વારંવાર તબીબોને જાણ કરાઈ હોવા છતા દર્દીને યોગ્ય સારવાર ન આપી હોવાના આક્ષેપો કર્યા હતાં.
