માંડવી નગરમાં દત્તમંદિરે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિને
માંડવી નગરપાલિકા તથા માંડવી વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ
માંડવી નગરમાં આવેલ દત્ત મંદિર ખાતે 5 મી જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
માંડવી નગરમાં વૃક્ષારોપણ સાંસદ પ્રભુ વસાવા તથા ધારાસભ્ય કુંવરજી હળપતિના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવળ, તેમજ વન વિભાગના આર.એફ.ઓ બળવંતસિંહ સોલંકી, રમાબેન વસાવા, ભાવેશભાઈ કહાર તથા તેમના સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
માંડવી નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા નરેન્દ્ર ભાઈ મોદીના સફળ નેતૃત્વમાં 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં માંડવી નગર ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ પર્યાવરણના ઇન્ચાર્જ તેમજ બુથ પ્રમુખો, શક્તિ કેન્દ્ર ના સંયોજકો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું..
