માંડવીમાં કેન્ડલ માર્ચ યોજાઈ
પહેલગામ આતંકી હુમલા સામે દેશભરમાં આક્રોશ
કેન્ડલ માર્ચ યોજીને શ્રદ્ધાંજલિ આપી
માંડવી નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા કાશ્મીરના પહેલગામ ખાતે પર્યટકો પર આતંકવાદીઓ દ્વારા હીચકારો હુમલાના મૃતકો માટે કેન્ડલ માર્ચ યોજાઈ.
માંડવી નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર આતંકવાદીઓ દ્વારા આતંકી હીચકારો હુમલો કરી 27 જેટલા પ્રવાસીઓને મોતના ઘાટ ઉતાર્યા હતા.આ મૃતકોની શ્રદ્ધાંજલિ અર્થે તા .23 એપ્રિલના રોજ રાત્રે 8:30 કલાકે. માંડવી નગરમાં એક કેન્ડલ માર્ચ કરવામાં આવી હતી . જેમાં આ કેન્ડલ માર્ચ ખત્રીવાડ થી જૈન દેરાસર પાસેથી વલ્લભવડ થઈ નવાપરા વિસ્તારથી સુપડી વિસ્તારમાં કેન્ડલ માર્ચ ની પૂર્ણાહુતિ કરાઈ હતી.
નગરના તમામ જાતિના લોકો સામાજિક તથા રાજકીય આગેવાનો ભાઈઓ બહેનો યુવા વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં સવિશેષ બહેનોએ વિશેષ સંખ્યામાં હાજર રહી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. તથા સુપડી વિસ્તાર ખાતે કેન્ડલ મૂકી બે મિનિટ મૌન પાળી તમામ મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. જેમાં માંડવી નગર ભાજપ પ્રમુખ પીતેશભાઈ રાવળ, પાલિકા પ્રમુખ નિમેષભાઈ ભાઈ શાહ, ડો જયેશભાઈ મર્ચન્ટ, નલીનભાઈ શાહ, મહામંત્રી વિજયભાઈ પટેલ શાલીન ભાઈ શાહ તથા મોટી સંખ્યામાં નગરજનો જોડાય શ્રદ્ધાંજલિ આપી હતી…. હમીરસિંહ ચૌહાણ માંડવી