પહેલગામમાં થયેલા હુમલાને લઇ સમગ્ર વિશ્વમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા
બારડોલીમાં વિશ્વહિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ કરાયો
મૃતકોને બે મિનીટ નું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ હિંદુઓ પર થયેલા હુમલાને લઇ સમગ્ર વિશ્વમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે . ત્યારે સુરત જીલ્લાના બારડોલી ખાતે વિશ્વહિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરી આતંકીઓનું પુતળા દહન કરાયું હતું .
જમ્મુ-કાશ્મીરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ પહેલગામમાં તાજેતરમાં એક ઘટના બની છે જેમાં આતંકવાદીઓએ હિંદુઓની હત્યા કરી છે. પ્રવાસીઓને તેમના ધાર્મિક નામો પૂછવામાં આવ્યા બાદ નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી, આખા રાષ્ટ્રને આઘાતજનક અને આક્રોશિત કરવામાં આવ્યો છે. આ હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહીત ૨૮ લોકોના મૃત્યુ થયા છે . આ માત્ર આતંકવાદી હુમલો નથી પરંતુ તે ભારતના બહુમતી સમુદાયની ધાર્મિક લાગણીઓ પર હુમલો છે. જેને લઇ સમગ્ર વિશ્વમાં અને દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે .અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે .ત્યારે સુરત જીલ્લાના બારડોલીના શહીદ ચોક ખાતે વિશ્વહિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન તેમજ આતંકીઓનું પુતળા દહન કરવામાં આવ્યું હતું .તેમજ આ હુમલા માં મુત્યુ પામનાર મૃતકોને બે મિનીટ નું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી .અને આપણા દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.તેવા આતંકીઓ પર કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે વિરોધ દર્શાવ્યો હતો