સુરતમાં આતંકીના પૂતળાનું દહન
દેશભરમાં આતંકીઓ સામે ભારે આક્રોશ
આતંકીઓને મોતની સજા આપવામાં આવે તેવી માંગ
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા ને પગલે ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ધરણા પ્રદર્શન અને પૂતળા દહન કરવામાં આવ્યો હતો.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓએ પર્યટકો પર ગોળીબાર કરી આતંકી હુમલો કર્યો હતો આ ઘટનામાં 26 જેટલા લોકોના મોત થયા છે ત્યારે દેશભરમાં આતંકીઓ સામે ભારે આક્રોશ દેખાઈ રહ્યો છે આતંકવાદીઓને તાત્કાલિક પકડી કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ દેશવાસીઓ કરી રહ્યા છે ત્યારે સુરતમાં આતંકીઓના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઇચ્છાપોર પ્રખંડ રાંદેર જિલ્લા તરફથી ધરણા પ્રદર્શન અને પૂતળા દહન કરવામાં આવ્યો હતો જેમાં પાકિસ્તાન વિરોધી સૂત્રોચાર પણ કરવામાં આવ્યા હતા આતંકીઓને તાત્કાલિક પકડી મોતની સજા આપવામાં આવે તેવી માંગ કરી હતી.