સુરતમાં આગ્હની ઘટના યથાવત
માંડવી તાલુકાના સરકૂઈ ગામે આગની ઘટના બની
ગોળના કોલામાં આકસ્મિક આગ લાગી હતી
સુરત જિલ્લાના માંડવી તાલુકાના સરકૂઈ ગામે ગોળના કોલામાં આકસ્મિક આગ લાગી હતી આગ લગતા અફરા તરફરીનો માહોલ સર્જાયો હતો.
શહેરમાં વધી રહેલી આગની ઘટનાઓ વચ્ચે વધુ એક આગની ઘટના બની હતી વાત એમ છે કે સુરત જિલ્લાના માંડવી તાલુકાના સરકુઈ ગામે રાકેશ ભાઈ અંજીભાઈ ચૌધરીના ગોળ કોલામાં આકસ્મિક આગ લાગી હતી આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ માંડવી નગરપાલિકાના ફાયર વિભાગને કરતા માંડવી નગરપાલિકા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. આ આગની ઘટના મ કોઈ જાનહાની ન સર્જાતા હાશકરો અનુભવાયો હતો….હમીરસિંહ ચૌહાણ માંડવી.