સુરત શહેરમાં સતત વધી રહેલા સાયબર ગુનાઓ

Featured Video Play Icon
Spread the love

સુરત શહેરમાં સતત વધી રહેલા સાયબર ગુનાઓ
પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી
રકમ ધી.આદિનાથ કો.ઓપરેટિવ બેંકના ખાતામાં જમા થઈ હતી

સુરત શહેરમાં સતત વધી રહેલા સાયબર ગુનાઓ સામે કડક પગલાં લેવા માટે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે તાત્કાલિક કાર્યવાહી કરવા તમામ પોલીસ સ્ટેશનોને સુચના આપી હતી. આ સૂચનાની અસરકારક અમલવારી લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી છે, જ્યાં એક સાયબર ફ્રોડના ગુનામાં ઝડપથી કાર્યવાહી કરી મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આ અંગે ડીસીપી પીનાકીન પરમારે જણાવ્યું હતું કે , ફરીયાદી મુનીર અહમદ નિવાસી શાહપોર, સુરતને એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો જેમાં કોલ કરનાર વ્યક્તિએ તેના મિત્ર તરીકે ઓળખ આપી દર્દીમાં હોવાનો બહાવો કરીને ગુગલ પે બંધ હોવાનું કહી તેનામાં QR કોડ મોકલી ૪૨,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આ રકમ ધી.આદિનાથ કો.ઓપરેટિવ બેંકના ખાતામાં જમા થઈ હતી જે પ્રિયાંક ઇન્દ્રવદન પટેલ નામના ઈસમના નામે છે. પોલીસે આરોપી પ્રિયાંક પટેલની પૂછપરછ કરતાં તેણે પોતાના ડોકયુમેન્ટ્સના આધારે બેંક ખાતા ખોલાવી તે ૨૫,૦૦૦ રૂપિયામાં પ્રકાશ ઠક્કરને વેચી દીધા હોવાનો ખુલાસો કર્યો.

પોલીસે આરોપી પાસે Different બેંકોની ૩ પાસબુક, ૧ ચેકબુક અને ૧ ડેબિટ કાર્ડ જપ્ત કર્યા છે. પોલીસ તપાસમાં વધુમાં ખુલાસો થયો છે કે આરોપીએ અત્યાર સુધીમાં કુલ ૧૩ અલગ અલગ બેંકોમાં ખાતાઓ ખોલાવ્યા હતા અને તે તમામ ખાતાઓથી મળીને ૨૦થી વધુ સાયબર ગુનાઓમાં ઉપયોગ થયો છે. માત્ર ધી આદિનાથ કો. ઓપરેટિવ બેંકના એકાઉન્ટમાંથી છેલ્લાં ૪૫ દિવસમાં ૧૧૬ ટ્રાન્ઝેક્શનો થકી આશરે ૨ કરોડ ૭૫ લાખ રૂપિયાની છેતરપીંડી કરવામાં આવી હતી.હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *