અમદાવાદમાં (amdavad) તોડકાંડના આરોપી દિનેશ પરમારને લઈ સરકાર એક્શનમાં.
આરોગ્ય વિભાગના અધિક સચિવ દિનેશ પરમારને છૂટા કરવાનો નિર્ણય.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું સાંજ પહેલા તેઓને છૂટા કરી દેવાશે
( Gujarat ) રાજ્યમાં ભ્રષ્ટાચારના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને અધિકારીઓ લાંચ લેતા ઝડપાઈ રહ્યા છે. ત્યારે એન્ટી કરપ્શન બ્યુરો (ACB ) દ્વારા એક સફળ ટ્રેપનું આયોજન કરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક સચિવ દિનેશ પરમાર તથા અમદાવાદની સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત્ત ડીન ગિરીશ જેઠાલાલ પરમારને લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા.
અમદાવાદમાં એન્ટી કરપ્શન બ્યુરોના ( corruption ) હાથે ઝડપાયેલા આ બંને આરોપીઓએ ફરિયાદી અને તેમના ડૉક્ટર (Doctor) સાથીની તરફેણમાં કામગીરી કરવા માટે રૂ. 30 લાખની મોટી રકમની માંગણી કરી હતી. ફરિયાદીએ આ ગેરકાયદે માંગણીનો વિરોધ કરી ACB ને જાણ કરી, જેના પગલે ટ્રેપ દરમિયાન ગિરીશ પરમાર રૂ. 15 લાખની એડવાન્સ રકમ સ્વીકારતા ઝડપાયા હતા. આ ઘટના શાહીબાગ, અમદાવાદ ખાતે ગિરીશ પરમારના નિવાસસ્થાને બની છે જ્યાં ફરિયાદીને નાણાં લઈને આવવા કહેવાયું હતું. ફરિયાદીએ અગાઉ ભાવનગરમાં નાયબ નિયામક તરીકે ફરજ બજાવી હતી. તે સમયે તેમણે આરોગ્ય વિભાગના કેટલાક સ્ટાફ સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસને લઈને શિક્ષાત્મક પગલાં લીધાં હતાં. આના જવાબમાં તેમની સામે ખંડણીની ફરિયાદ કરવામાં આવી હતી, જે આરોગ્ય વિભાગના કમિશનર સુધી પહોંચી હતી પરિણામે, ફરિયાદી અને તેમના સાથી ડૉક્ટરને સસ્પેન્ડ કરાયા હતા. આરોગ્ય વિભાગે બંને સામે પ્રાથમિક તપાસ શરૂ કરી, જે ઓક્ટોબર 2024માં પૂર્ણ થઈ અને તપાસ અધિકારીએ જાન્યુઆરી 2025માં પોતાનો રિપોર્ટ સુપરત કર્યો. આ તપાસ દરમિયાન દિનેશ પરમાર અને ગિરીશ પરમારે ફરિયાદી પાસેથી લાંચ માંગીને
આ ઘટનાની શરૂઆતમાં ગિરીશ પરમારે ફરિયાદીનો સંપર્ક સાધીને ગાંધીનગર ( gandhinagar ) ખાતે દિનેશ પરમાર સાથે મુલાકાતનું આયોજન કર્યું હતું. આ મીટિંગમાં બંને આરોપીઓએ રૂ. 30 લાખની લાંચની માંગણી કરી, જેમાંથી રૂ. 15 લાખ એડવાન્સ તરીકે અને બાકીની રકમ કામ પૂર્ણ થયા બાદ આપવાની શરત રાખી. ગિરીશ પરમારે ફોન દ્વારા ફરિયાદી પર નાણાં આપવા માટે સતત દબાણ કર્યું, પરંતુ ફરિયાદીએ લાંચ આપવાનો ઇનકાર કરી ACB ની મદદ લીધી. ACB એ ઝડપી કાર્યવાહી કરીને ટ્રેપ ગોઠવ્યું અને ગિરીશ પરમારને શાહીબાગ ખાતે તેમના ઘરે રૂ. 15 લાખ સ્વીકારતા ઝડપી લીધા. આ કેસ રાજ્યમાં ભ્રષ્ટાચારની ઊંડી જડો અને ACBની સતર્કતાને દર્શાવે છે…