સુરતમાં નજીવી બાબતે એક બીજા પર જીવલેણ હુમલા
જહાંગીરપુરામાં મેઈન્ટેનન્સ અંગે યુવાન પર હુમલો કરાયો
ભરત સુરતી, હિરેન બરોડીયા અને ડો. વિપુલ બરોડિયાએ ઝપાઝપી કરી
સુરતમાં નજીવી બાબતે પણ લોકો એક બીજા પર જીવલેણ હુમલાઓ કરતા અચકાતા નથી ત્યારે જહાંગીરપુરામાં મેઈન્ટેનન્સ અંગે યુવાન પર હુમલો કરાયો હતો.
સુરતમાં જહાંગીરપુરાની જાનકી રેસિડેન્સીમાં ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન અંગે ચર્ચા કરતી વખતે યુવાન ચિરાગ ઉપર હુમલો કરાયો હતો. સોસાયટીના મેઇનટેઇન્સ અંગે ડોક્ટર સહિત ત્રણ લોકોએ બોલાચાલી કરી હતી અને બોલાચાલી કર્યા બાદ યુવાન પર હથોડાથી હુમલો કરાયા હોવાની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે.હતી તો ભરત સુરતી હથોડો લઈને આવીને ચિરાગના ગળાના ભાગે મારી દીધો હતો. હાલ તો બનાવને લઈ પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
