સુરતના ખટોદરા ખાતે પંચદેવી માતાના મંદિરે દશામાની સ્થાપના કરાઈ
ઓપરેશન સિંદુર થીમ પર માં દશા માતાની મુર્તિની સ્થાપના કરાઈ
સુરતના ખટોદરા ખાતે પંચદેવી માતાના મંદિરે દશામાની સ્થાપના કરાઈ હતી. તો આ વખતે ઓપરેશન સિંદુર થીમ પર માં દશા માતાની મુર્તિની સ્થાપના કરાઈ છે.
સુરતના ખટોદરા પોલીસ સ્ટેશન ની બાજુમાં આવેલા પંચદેવી માતાના મંદિરમાં છેલ્લા 27 વર્ષથી માં દશામાં ની સ્થાપના કરવામાં આવે છે. દર વર્ષે અલગ અલગ થીમ સાથે માં દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે ત્યારે દરવર્ષ ની જેમ આ વર્ષે પણ પહેલા ગામમાં આતંકી હુમલાનાં 27 જેટલા નિર્દોષ લોકોને ધર્મના આધારે ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જવાબી કાર્યવાહીમાં ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યો હતો અને તેમાં ભારતની બે દીકરીઓએ પાકિસ્તામાં આતંકીઓના ઠેકાણાઓને મિસાઈલથી નષ્ટ કરી 27 લોકોને ન્યાય આપ્યો હતો. જેનાથી પ્રભાવી થઈ આ વર્ષે પાંચદેવી માતાના મંદિરના ભુવા મનોજભાઈએ ઓપરેશન સિંદૂર થીમ પર માં દશા માતાની મૂર્તિની સ્થાપના કરી છે. ધાર્મિક અને રાષ્ટ્રની ભાવના વ્યક્ત કરી હજારો ભક્તો માં દર્શન માટે આવી રહ્યા છે. સાથે સાથે આપડા દેશના 27 જેટલ સહિત લોકો પણ યાદ કર્યા હતાં.
