માંડવી ભાજપ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જ્યંતી ઉજવણી
બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી શ્રદ્ધા સુમન અર્પણ
માંડવી નગરમાં સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં પ્રેમશંકર ભટ્ટ ઉદ્યાન ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા.
માંડવી નગર ભાજપ દ્વારા પ્રેમશંકર ભટ્ટ ઉદ્યાન ખાતે આવેલ ડો બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને સાંસદ પ્રભુભાઈ વસાવા તથા નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળની ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી આ પ્રસંગે વાલ્મિકી મહા સભાના રાષ્ટ્રીય સંગઠન સચિવ ઇશ્વરભાઇ સોલંકી દ્વારા પુષ્પાંજલિ તથા શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંસદ પ્રભુભાઈ વસાવા તથા નગર ભાજપ પ્રમુખ પ્રીતેશભાઈ રાવળદ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરજી ની જીવન ઝરમર ની ઝાંખી કરાવી હતી આ પ્રસંગે માંડવી પાલિકાના પૂર્વ પ્રમુખ, મહામંત્રી તથા ઉપસ્થિત તમામ અનુભવો દ્વારા અર્પણ કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. તેમજ માંડવી નગરના વાલ્મિક સમાજના ભાઈઓ બહેનો દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરજી ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા….
