બનાસકાંઠા પાલનપુરમાં વ્યાજખોરોનો આતંક.

Featured Video Play Icon
Spread the love

બનાસકાંઠા પાલનપુરમાં વ્યાજખોરોનો આતંક.
વ્યાજખોરોનાં ત્રાસથી વેપારીએ કર્યો આપધાતનો પ્રયાસ.
વેપારીએ વ્યાજખોરોને 3 લાખના સામે 15 લાખ ચૂકવ્યા.
15 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરો કરતા હતા પઠાણી ઉઘરાણી.

પાલનપુરના વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી ત્રાસી જઈ ફિનાયલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. વેપારીએ ત્રણ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. સામે રૂ.15 લાખ ચૂકવી દીધા. છતાં વ્યાજખોરો ચેક બાઉન્સના કેસ કરી હેરાન કરતા હતા.

પાલનપુરના સુખબાગ રોડ વિસ્તારમાં બિલ્ડીંગ મટીરીયલ્સના વેપારી મહમદ ઝકીબે વ્યાજખોરોના ત્રાસથી ત્રાસી જઈ ફિનાયલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મહમદ ઝકીબે જણાવ્યું હતું કે, તેણે ત્રણ લાખ વ્યાજે લીધા હતા. તેના બદલે અત્યાર સુધીમાં રૂ. 15 લાખ ચૂકવી દીધા છે. છતાં વ્યાજખોરો ઉઘરાણી કરતા અટકતા નથી. વધુમાં બે અન્ય શખ્સો પાસેથી પણ નાણાં લીધા હતા. ચુકવણી કર્યા બાદ પણ ચેક પરત ન આપતા, તેમની સામે કેસ કરવામાં આવ્યો છે.

 

પાલનપુરના સુખબાગ રોડ વિસ્તારમાં બિલ્ડીંગ મટીરીયલ્સના વેપારી મહમદ ઝકીબે વ્યાજખોરોના ત્રાસથી ત્રાસી જઈ ફિનાયલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મહમદ ઝકીબે જણાવ્યું હતું કે, તેણે ત્રણ લાખ વ્યાજે લીધા હતા. તેના બદલે અત્યાર સુધીમાં રૂ. 15 લાખ ચૂકવી દીધા છે. છતાં વ્યાજખોરો ઉઘરાણી કરતા અટકતા નથી. વધુમાં બે અન્ય શખ્સો પાસેથી પણ નાણાં લીધા હતા. ચુકવણી કર્યા બાદ પણ ચેક પરત ન આપતા, તેમની સામે કેસ કરવામાં આવ્યો છે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *