અરવલ્લીમાં ભવ્ય સનાતન હિન્દુ સંમેલન યોજાયું
ડો.પ્રવીણ તોગડિયાની ઉપસ્થિતિમાં હિન્દુ સંમેલન યોજાયું
દિવાળીએ ગરીબોને કપડાં, મીઠાઈ, ફટાકડા આપવા પણ અપીલ
ગામોના મોટી સંખ્યામાં ગ્રામજનો સંમેલનમાં જોડાયા
અરવલ્લીના મેઘરજ તાલુકાના કંભરોડા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ર્ડો.પ્રવિણ તોગડિયા સ્થાને ભવ્ય સનાતન હિન્દુ સંમેલન યોજાયું.હિન્દુ સમાજને સંગઠિત કરવા અને એકતાનો અવાજ બુલંદ કરવા આયોજિત આ સંમેલનમાં અનેક આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.
કંભરોડા ખાતે યોજાયેલ સનાતન હિન્દુ સંમેલનમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ર્ડો.પ્રવિણ તોગડિયા,આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી માલાબેન રાવલ, ઉત્તર ગુજરાત પ્રાંત મહામંત્રી જયંતીભાઈ પટેલ,સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.હિન્દુ સમાજ ઉપર થતા અત્યાચારો અટકાવવા અને સૌને એકતા માટે પ્રેરિત કરવા આ સંમેલનમાં આગેવાનો એ હાકલ કરી.વિશ્વ હિન્દુ પરિષદ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરો સાથે આજુબાજુના ગામોના મોટી સંખ્યામાં ગ્રામજનો સંમેલનમાં જોડાયા હતા
